મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે અજાણ્યા ડમ્પર ચાલકે એઇટી ને હડફેટે લેતા વૃધ્ધનું મોત, ગુનો નોંધાયો


SHARE







મોરબીના લાલપર પાસે અજાણ્યા ડમ્પર ચાલકે એઇટી ને હડફેટે લેતા વૃધ્ધનું મોત, ગુનો નોંધાયો

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ લાલપર ગામ નજીક જનતા સુપર મોલની સામે નેશનલ હાઇવે રોડ ઉપરથી વૃદ્ધ પોતાનું એઇટી લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ડમ્પર ચાલકે તેને એઇટીને હડફેટ લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી જેથી તેનું સ્થળ ઉપર જ મોત નિપજ્યુ હતુ અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો હાલમાં આ બનાવ સંદર્ભે મૃતક ના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં જય અંબે સોસાયટીમાં રહેતા હર્ષદભાઈ કેશવદાસભાઈ દેવમુરારી જાતે બાવાજી (૪૪) એ અજાણ્યા ડમ્પરચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેના પિતા કેશવદાસભાઈ દેવમુરારી જાતે બાવાજી મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર લાલપર ગામ પાસે આવેલ જનતા સુપર મોલ સામેથી પોતાનું નંબર જીજે ૩ કે કે ૮૧૯૩ લઈને જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ડમ્પર ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદીના પિતાને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકે આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કોઈ જાણ કરી ન હતી જેથી કરીને હાલમાં મૃતક ના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા ડમ્પરચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બાઈક સ્લીપ થતા ઇજા

મોરબી તાલુકાના ખાખરાળા ગામે રહેતો મનોજ રમેશભાઈ વડાવીયા નામનો ૩૫ વર્ષનો યુવાન મોરબીના માળીયા હાઇવે ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યારે લક્ષ્મીનગર ગામ પાસેના ઓવરબ્રિજ નજીક રામેશ્વર પેટ્રોલ પંપ પાસે તેનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ ગયું હતું.જેથી ઈજા પામેલ મનોજ વડાવીયાને અત્રેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને બનાવની હોસ્પિટલ તરફથી જાણ થતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

મારામારીના બનાવમાં ઈજા

મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આંબેડકરનગર વિસ્તારમાં રહેતા ભરતભાઇ જગદીશભાઈ ચૌહાણ નામના ૩૨ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.તા.૧૧ ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં રફાળેશ્વર ગામે થયેલ મારામારીના બનાવમાં ઘવાયેલા ભરત ચૌહાણને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો.જેથી બનાવની હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવેલ હોય હાલ તાલુકા પોલીસ મથકના એમ.જે. કહાંગરા આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા હોવાનું તાલુકા પોલીસ મથકના સૂત્રોએ જણાવેલ છે.






Latest News