મોરબીના રાજકોટ હાઇવે અજંતા નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબી: સુરજબારી ચેકપોસ્ટ નજીક વાહન અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું મોત, સારવાર દરમિયાન વૃદ્ધનું મોત મોરબીમાં નટરાજ ફાટક-વેજીટેબલ રોડે કરવામાં આવેલા દબાણો ઉપર મહાપાલિકાનું બુલડોઝર ફરી ગયું મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC પરીક્ષાનુ આયોજન વાંકાનેર એસટી ડેપો ખાતે વ્યસન મુકિત માટે સીટી ડેન્ટલ હોસ્પિટલના સહયોગથી કેમ્પ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે કેશવેશ્વર મહાદેવ મંદિરના ઝીર્ણોદ્ધારનું ખાતમુહૂર્ત કરાયુ વાંકાનેરના નવા રાજાવડલા ગામે જુગાર રમતા નવ શખ્સ પકડાયા વાંકાનેરમાં પાલિકાના રોજમદાર કર્મચારીને લાફો ઝીકિને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરનાર સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી: કપડાં લેવા બાબતે પતિ સાથે બોલાચાલી બાદ સગર્ભા મહિલાએ જીવન ટૂંકાવ્યું


SHARE













મોરબી: કપડાં લેવા બાબતે પતિ સાથે બોલાચાલી બાદ સગર્ભા મહિલાએ જીવન ટૂંકાવ્યું

મોરબી તાલુકાના ટિંબડી ગામના પાટીયા પાસે બસ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા સગર્ભા મહિલાએ ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસે બસ સ્ટેશનની પાછળના ભાગમાં સુરેશભાઈના મકાનમાં રહેતા પાયલબેન પીન્ટુભાઇ વસુનીયા (૨૨) નામની મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથે ધરી છે અને આ બનાવની તપાસ ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એમ.બગડા ચલાવી રહ્યા તેઓની સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, મૃતક મહિનાનો લગ્ન ગાળો સાડા ત્રણ વર્ષનો છે અને તેને સંતાનમાં એક બાળક છે.મૃતક મહિલાને ચાર માસનો ગર્ભ પણ હતો અને આ મહિલાને કપડાં લેવા બાબતે તેના પતિની સાથે બોલાચાલી થયેલ હતી અને ત્યાર બાદ મહિલાએ આ પગલું ભરી લીધેલ છે.

ફિનાઇલ પી લીધું

માળીયા મીયાણા તાલુકાના દેવગઢ ગામે રહેતા જાગૃતિબેન સુમિતભાઈ સવસેટા (૨૮) નામની પરણીતાએ કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લીધું હતું જેથી તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મહિલાનો લગ્ન ગાળો ચાર વર્ષનો છે જો કે, તેને કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં હવે આગળની તપાસ માળિયા તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવશે








Latest News