મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી: કપડાં લેવા બાબતે પતિ સાથે બોલાચાલી બાદ સગર્ભા મહિલાએ જીવન ટૂંકાવ્યું


SHARE







મોરબી: કપડાં લેવા બાબતે પતિ સાથે બોલાચાલી બાદ સગર્ભા મહિલાએ જીવન ટૂંકાવ્યું

મોરબી તાલુકાના ટિંબડી ગામના પાટીયા પાસે બસ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા સગર્ભા મહિલાએ ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસે બસ સ્ટેશનની પાછળના ભાગમાં સુરેશભાઈના મકાનમાં રહેતા પાયલબેન પીન્ટુભાઇ વસુનીયા (૨૨) નામની મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથે ધરી છે અને આ બનાવની તપાસ ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એમ.બગડા ચલાવી રહ્યા તેઓની સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, મૃતક મહિનાનો લગ્ન ગાળો સાડા ત્રણ વર્ષનો છે અને તેને સંતાનમાં એક બાળક છે.મૃતક મહિલાને ચાર માસનો ગર્ભ પણ હતો અને આ મહિલાને કપડાં લેવા બાબતે તેના પતિની સાથે બોલાચાલી થયેલ હતી અને ત્યાર બાદ મહિલાએ આ પગલું ભરી લીધેલ છે.

ફિનાઇલ પી લીધું

માળીયા મીયાણા તાલુકાના દેવગઢ ગામે રહેતા જાગૃતિબેન સુમિતભાઈ સવસેટા (૨૮) નામની પરણીતાએ કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લીધું હતું જેથી તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મહિલાનો લગ્ન ગાળો ચાર વર્ષનો છે જો કે, તેને કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં હવે આગળની તપાસ માળિયા તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવશે






Latest News