મોરબીના શંકર આશ્રમના જીર્ણોધ્ધાર અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન મોરબી : આયુષ હોસ્પિટલના ન્યુરો સર્જન દ્વારા જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી  સૌરાષ્ટ્રની નં ૦૧ રીયલ ક્રિકેટ એકેડમીમાં દિવાળી નિમિતે બાળકો માટે સ્પેશ્યલ ઓફર મોરબીના જુના ખારચીયાથી રાજપર (કું.) જવાના બિસ્માર રસ્તો ડામરથી ક્યારે મઢાશે ? ટંકારાના લજાઈ પાસે ઓઇલના ગોડાઉનમાં એસએમસીની રેડ: બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ પેકિંગ ભરતાઓની ચર્ચા મોરબી : ટંકારાના ગજડી ગામના રમેશભાઈ જારીયાની રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળમાં ઉપપ્રમુખ તરીકે વરણી મોરબીની નવયુગ સાયન્સ કોલેજ દ્વારા ફૂડ સ્પેશિયાલિટી  ઓફ ગુજરાતનું આયોજન  કરવામાં આવ્યું મોરબી જિલ્લામાં ખેડૂતને થયેલ નુકશાન સામે સરકારે હજુ રાતીપાઈ આપી નથી, વહેલી તકે વળતર આપવા કોંગ્રેસની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં ટ્રાન્સપોર્ટરને માર મારવાના ગુનામાં પૂર્વ કર્મચારી સહિત ત્રણ આરોપીની ધરપકડ


SHARE











મોરબીમાં ટ્રાન્સપોર્ટરને માર મારવાના ગુનામાં પૂર્વ કર્મચારી સહિત ત્રણ આરોપીની ધરપકડ

મોરબીમાં ટ્રાન્સપોર્ટરને તેના પૂર્વ કર્મચારી સહિત ત્રણ શખ્સોએ માર માર્યો હતો જેની ફરિયાદ નોંધાવેલ હતી તેના આધારે પોલીસે માર મારવાના આ ગુનામાં પૂર્વ કર્મચારી સહિત ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ ચંન્દ્રેશનગર મુનનગર ચોક પાસે આરાધના-૦૧ ત્રીજા માળે બ્લોક નંબર ૩૦૨ માં રહેતા નરેન્દ્રસિંહ પોપટભા ગોહિલ જાતે રાજપુત (૪૮) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને વનરાજભાઈ હુંબલ, હુશેનભાઈ અને જગાભાઈની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, મોરબી પંચાસર રોડ જુના ઉમા હોલની સામે શોપીંગ સેન્ટર પાસે તે હતા ત્યારે ત્રણેય આરોપીઓએ વારા ફરતી ત્યાં આવીને ફરિયાદીને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર મારીને મુંઢ ઈજા કરી હતી તેમજ આરોપી વનરાજભાઈ હુંબલે ફરિયાદીને પોતાના હાથમાં રહેલ લોખંડની ટામી વડે એક ઘા છાતીની ડાબી સાઈડે પાંસળીઓમાં માર્યો હતો જેથી કરીને તેને ત્રણ પાંસળીઓમાં ઈજા થયેલ હતી અને આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને આ ગુનામાં પોલીસે આરોપી વનરાજભાઈ પ્રભાતભાઈ હુંબલ જાતે આહીર (૩૪) રહે આરાધના ટાવર મુનનગર પાસે મોરબી, હુશેનભાઈ ઉમરભાઈ ઘાંચી (૪૭) રહે. ભાડલા તાલુકો જસદણ અને જગદીશભી રામજીભાઈ વાઘેલા (૨૭) રહે. વીસીપરા મેઇન રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે

વૃદ્ધ સારવારમાં

મોરબી શહેરના નગર દરવાજા ચોકમાં અજાણ્યા ૭૦ વર્ષના વૃદ્ધ બેભાન થઈ ગયા હતા જેથી કરીને તેને ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ છે




Latest News