લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

મોરબીમાં ટ્રાન્સપોર્ટરને માર મારવાના ગુનામાં પૂર્વ કર્મચારી સહિત ત્રણ આરોપીની ધરપકડ


SHARE

















મોરબીમાં ટ્રાન્સપોર્ટરને માર મારવાના ગુનામાં પૂર્વ કર્મચારી સહિત ત્રણ આરોપીની ધરપકડ

મોરબીમાં ટ્રાન્સપોર્ટરને તેના પૂર્વ કર્મચારી સહિત ત્રણ શખ્સોએ માર માર્યો હતો જેની ફરિયાદ નોંધાવેલ હતી તેના આધારે પોલીસે માર મારવાના આ ગુનામાં પૂર્વ કર્મચારી સહિત ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ ચંન્દ્રેશનગર મુનનગર ચોક પાસે આરાધના-૦૧ ત્રીજા માળે બ્લોક નંબર ૩૦૨ માં રહેતા નરેન્દ્રસિંહ પોપટભા ગોહિલ જાતે રાજપુત (૪૮) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને વનરાજભાઈ હુંબલ, હુશેનભાઈ અને જગાભાઈની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, મોરબી પંચાસર રોડ જુના ઉમા હોલની સામે શોપીંગ સેન્ટર પાસે તે હતા ત્યારે ત્રણેય આરોપીઓએ વારા ફરતી ત્યાં આવીને ફરિયાદીને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર મારીને મુંઢ ઈજા કરી હતી તેમજ આરોપી વનરાજભાઈ હુંબલે ફરિયાદીને પોતાના હાથમાં રહેલ લોખંડની ટામી વડે એક ઘા છાતીની ડાબી સાઈડે પાંસળીઓમાં માર્યો હતો જેથી કરીને તેને ત્રણ પાંસળીઓમાં ઈજા થયેલ હતી અને આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને આ ગુનામાં પોલીસે આરોપી વનરાજભાઈ પ્રભાતભાઈ હુંબલ જાતે આહીર (૩૪) રહે આરાધના ટાવર મુનનગર પાસે મોરબી, હુશેનભાઈ ઉમરભાઈ ઘાંચી (૪૭) રહે. ભાડલા તાલુકો જસદણ અને જગદીશભી રામજીભાઈ વાઘેલા (૨૭) રહે. વીસીપરા મેઇન રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે

વૃદ્ધ સારવારમાં

મોરબી શહેરના નગર દરવાજા ચોકમાં અજાણ્યા ૭૦ વર્ષના વૃદ્ધ બેભાન થઈ ગયા હતા જેથી કરીને તેને ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ છે




Latest News