મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીટર્નના કેસમાં એક વર્ષની સજા: ડબલ રૂપીયાનો દંડ મોરબીના રામધન આશ્રમ, જડેશ્વર મહાદેવ મંદિર, આપના કાર્યાલય સહિત જુદીજુદી જગ્યાએ શિવરાત્રિ ઉજવાઇ મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં મૃત્યુ પામેલા પરિવારને મળતા ધારાસભ્ય વિમલ ચુડાસમા: આરોપીઓ વહેલી તકે નહીં પકડાઈ તો મુદો વિધાનસભામાં ગુંજશે ​​​​​​​બાંધણું કરવાના નાટક ?!: મોરબીના રફાળેશ્વર ગામે શિવરાત્રીનો મેળો લૂંટ મેળો બન્યો છતાં તંત્ર તમાસો જોતું રહ્યું ? મોરબી નજીકના મચ્છુ-2 ડેમમાં ડૂબી ગયેલ સગીરને શોધવા માટે ફાયરની ટિમ દ્વારા શોધખોળ શરૂ ટંકારામાં ડૉ.આંબેડકર સાહેબનાં માતૃશ્રી ભીમાબાઈની જન્મ જયંતિએ આદિવાસી મહા સંમેલન યોજાયું મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ભારત માતાનું પૂજન કરીને વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરાઈ મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓને માઁ જીવદયા ગ્રુપ દ્વારા સન્માનિત કરાઈ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના અંજીયાસર ગામે દીકરી ઉપર નજર બગાડતાં પતિને બેભાન કરીને ગળાટુપો આપીને પત્નીએ કરી હત્યા: પત્ની-સાળાની ધરપક


SHARE













માળીયા (મી)ના અંજીયાસર ગામે દીકરી ઉપર નજર બગાડતાં પતિને બેભાન કરીને ગળાટુપો આપીને પત્નીએ કરી હત્યા: પત્ની-સાળાની ધરપક

માળીયા (મી) તાલુકાના જુના અંજીયાસર નજીકથી મચ્છુ નદીમાં તલાવડામાંથી ગળે ચુંદડી બાંધેલી હાલતમાં આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની તપાસ દરમિયાન મૃતક આધેડે તેની દીકરી ઉપર નજર બગાડતા આધેડની તેની જ પત્નીએ ગળા ટુંપો આપીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ મહિલાએ તેના ભાઈને બોલાવતા તે રીક્ષા લઈને ત્યાં આવ્યો હતો અને રિક્ષામાં લાશને લઈ જઈને મચ્છુ નદીના કાંઠે ફતેપર ગામ તરફ જવાના રસ્તા ઉપર તલાવડામાં લાશ અને મોટરસાયકલ સાથે ફેંકી આવ્યા હતા. જો કે, હત્યાના આ બનાવમાં મૃતક આધેડના દીકરાની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને પતિની હત્યા કરનાર મહિલા અને મૃતકના સાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના જુના અંજીયાસર ગામે રહેતા સાહિલભાઈ હાજીભાઈ મોવર જાતે મિયાણા (23)એ તેના પિતાની હત્યાની ફરિયાદ તેની માતા અને મામાની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ છે. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જે ફરિયાદમાં જણાવ્યું છે કે, ફરિયાદીના પિતા હાજીભાઈ અબ્દુલભાઈ મોવર જાતે મિયાણા (55)એ તેની જ દીકરી ઉપર નજર બગાડી હતી. જેથી ફરિયાદીની માતા શેરબાનુ હાજીભાઈ મોવર જાતે મિયાણાએ તેઓને ચા અને શાકમાં બેભાન થવા માટેની ટીકડીઓ નાખીને આપી હતી જેથી તે બેભાન થઈ જતા તેને ચુંદડી વડે ગળા ટુપો આપીને તેની હત્યા કરી નાખી હતી.

ત્યારબાદ શેરબાનુબેને તેના ભાઈ ઇમરાનભાઈ હૈદરભાઈ ખોડ રહે. ખીરઈ તાલુકો માળીયા વાળાને બોલાવતા તે રીક્ષા લઈને જુના અંજીયાસર ગામે આવ્યો હતો અને ત્યાર બાદ મૃતક હાજીભાઈ મોવરની લાશને રિક્ષામાં નાખીને મચ્છુ નદીના પૂર્વ તરફના કાંઠે ફતેપર ગામ પાસે કાચા રોડ ઉપર તલાવડામાં ગળે ચુંદડી બાંધીને મોટરસાયકલની એંગલ સાથે તે ચુંદડી બાંધીને ત્યાં ફેંકી દીધી હતી અને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાના આ ગુનામાં મૃતકના પત્ની શેરબાનુ હાજીભાઈ મોવર અને સાળા ઇમરાનભાઈ હૈદરભાઈ ખોડની પોલીસે ધરપકડ કરી છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News