મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે મોરબીના ITI ખાતે તાલુકા કક્ષાનો ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબી-સુરેન્દ્રનગર જિલ્લાના અગરિયાઓના પ્રશ્નો દૂર કરવા માટે સાંસદે કેન્દ્રિય મંત્રીને કરી રજુઆત


SHARE













મોરબી-સુરેન્દ્રનગર જિલ્લાના અગરિયાઓના પ્રશ્નો દૂર કરવા માટે સાંસદે કેન્દ્રિય મંત્રીને કરી રજુઆત

મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લામાં મીઠાના અગર આવેલ છે અને અગરિયાઓના ઘણા પ્રશ્નો છે તેને તાત્કાલિક દૂર કરવામાં આવે તે જરૂરી છે જેથી સુરેન્દ્રનગરના સાંસદે કેન્દ્રિય મંત્રીને તે માટેની લેખિત રજૂઆત કરેલ છે. અને અગરિયાઓને ભારે વાહન સાથે અગરમાં જવાની છૂટ આપવાની ભલામણ કરેલ છે.

સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરાએ કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવને લેખિત રજુઆત કરી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં રણકાંઠામાં મીઠું પકવી પોતાનું ગુજરાન ચલાવતા અગરીયાઓના પરિવારો વર્ષોથી ત્યાં મીઠાના ઉત્પાદન સાથે સંકળાયેલ છે. જો કે, છેલ્લા ઘણા સમયથી ધ્રાંગધ્રા, હળવદ અને માળિયા તાલુકાના રણ વિસ્તારને વન અભ્યારણ્ય જાહેર કરાયું છે. જેથી અગરિયાઓને પોતાના અગરમાં જવા માટે પણ હેરાન થવું પડે છે. અને ભારે વાહન લઈ જવાની વન વિભાગના અધિકારીઓ મનાઈ કરે છે. માટે ત્યાં અધિકારીઓ સાથે કાયમી સંઘર્ષ જેવી પરિસ્થિતિ હોય છે જેથી કરીને આ પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા માટેની રજૂઆત કરી છે.




Latest News