વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી-સુરેન્દ્રનગર જિલ્લાના અગરિયાઓના પ્રશ્નો દૂર કરવા માટે સાંસદે કેન્દ્રિય મંત્રીને કરી રજુઆત


SHARE

















મોરબી-સુરેન્દ્રનગર જિલ્લાના અગરિયાઓના પ્રશ્નો દૂર કરવા માટે સાંસદે કેન્દ્રિય મંત્રીને કરી રજુઆત

મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લામાં મીઠાના અગર આવેલ છે અને અગરિયાઓના ઘણા પ્રશ્નો છે તેને તાત્કાલિક દૂર કરવામાં આવે તે જરૂરી છે જેથી સુરેન્દ્રનગરના સાંસદે કેન્દ્રિય મંત્રીને તે માટેની લેખિત રજૂઆત કરેલ છે. અને અગરિયાઓને ભારે વાહન સાથે અગરમાં જવાની છૂટ આપવાની ભલામણ કરેલ છે.

સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરાએ કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવને લેખિત રજુઆત કરી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં રણકાંઠામાં મીઠું પકવી પોતાનું ગુજરાન ચલાવતા અગરીયાઓના પરિવારો વર્ષોથી ત્યાં મીઠાના ઉત્પાદન સાથે સંકળાયેલ છે. જો કે, છેલ્લા ઘણા સમયથી ધ્રાંગધ્રા, હળવદ અને માળિયા તાલુકાના રણ વિસ્તારને વન અભ્યારણ્ય જાહેર કરાયું છે. જેથી અગરિયાઓને પોતાના અગરમાં જવા માટે પણ હેરાન થવું પડે છે. અને ભારે વાહન લઈ જવાની વન વિભાગના અધિકારીઓ મનાઈ કરે છે. માટે ત્યાં અધિકારીઓ સાથે કાયમી સંઘર્ષ જેવી પરિસ્થિતિ હોય છે જેથી કરીને આ પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા માટેની રજૂઆત કરી છે.




Latest News