મોરબીની તપોવન વિદ્યાલય પરિવાર દ્વારા શહિદ વીર જવાનના પરિવારને કરાઇ આર્થિક મદદ મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરરજો આપવાની માંગ ભૂકંપથી ખંઢેર બની ગયેલ મોરબીની એલ.ઇ. કોલેજ અંદાજે 108 કરોડના ખર્ચ રજવાડાએ આપેલ મહેલ જેવી મૂળ સ્થિતિમાં લઈ આવવામાં આવે તેવા સંકેત મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોની તેમજ વંચિત વર્ગની દીકરીઓના ૧૦ માં સમૂહ લગ્નોત્સવનું આયોજન આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ કરવામાં આવ્યો તેરા તુજકો અર્પણ: મોરબીમાં DYSP પી.એ.ઝાલાના હસ્તે લોકોને 12.07 લાખનો મુદામાલ પરત અપાયો મોરબી કોર્પોરેશન ડે ની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કરાયું ટંકારા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સ્ટાફની ભરતી કરાશે; અરજી કરવાનું શરૂ
Breaking news
Morbi Today

હળવદના રાયસંગપર ગામે ચક્કર આવતા પાણીના ખાડામાં પડી ગયેલ યુવાનનું ડૂબી જવાથી મોત


SHARE











હળવદના રાયસંગપર ગામે ચક્કર આવતા પાણીના ખાડામાં પડી ગયેલ યુવાનનું ડૂબી જવાથી મોત

હળવદ તાલુકાના રાયસંગપર ગામે નદીના કાંઠે આવેલ સિમના રસ્તેથી પસાર થઈ રહેલા યુવાનને અચાનક ચક્કર આવ્યા હતા અને તે પાણી ભરેલા ખાડામાં ઊંધો પડતા તે યુવાનનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના રાયસંગપર ગામની સીમમાં અમૃતભાઈ ચૌહાણ જાતે દલવાડીની વાડીએ રહીને મજૂરી કામ કરતો પરેશભાઈ શંભુભાઈ નાયક જાતે અનુ. જનજાતિ (28) નામનો યુવાન ગામની સીમમાં નદીના કાંઠે આવેલા રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તેને અચાનક ચક્કર આવી જતા તે યુવાન રોડની બાજુમાં ભરેલ પાણીના ખાડામાં ઊંધા માથે પડતા તેનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજયું હતું. અને ત્યારબાદ ત્યાંથી તેના મૃતદેહને બહાર કાઢીને હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના ઘૂટું ગામે રહેતા બાલાભાઈ રામજીભાઈ દેત્રોજા (34) નામના યુવાનને ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જશપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે

બાઇક સ્લીપ

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં હાઉસિંગ બોર્ડમાં મંદિર પાસે રહેતા ભુપતભાઈ મેઘજીભાઈ પઢારીયા (55) નામના આધેડ બાઈક લઈને રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર ત્યાં બાઇક સ્લીપ થવાના કારણે તેને ડાબા પગમાં ઈજા થઈ હતી અને ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી છે






Latest News