મોરબી જિલ્લાના ૨૨ હજારથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરીને બન્યા આર્થિક સમૃદ્ધ
મોરબીના લાલપર પીએચસી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાઇ
SHARE










મોરબીના લાલપર પીએચસી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાઇ
વર્ષ 1990 થી સમગ્ર વિશ્વમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતીય તરીકે આપણા માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે આ દિવસની ઉજવણી કરવાનું સૂચન એક ભારતીય વસ્તી નિષ્ણાત ડૉ. કે.સી. ઝકરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. વર્ષ 2024 ના સરકારના વસ્તી નિયંત્રણ સૂત્ર "વિકસિત ભારતની પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન" મુજબ જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવે તેમજ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ધીરેન્દ્ર મહેતાની સૂચના મુજબ આયુષ્યમાન આરોગ્ય મંદિર લાલપર અને તેના તાબાના વિવિધ ગામોમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત લોકોમાં વસ્તી નિયંત્રણ માટે યોગ્ય માર્ગદર્શન મળે એ હેતુ થી દંપતી સંપર્ક પખવાડિયું, રેલી, ગુરુ શિબિર, લઘુ શિબિર, સ્પર્ધા અને ડોર ટૂ ડોર પ્રચાર પ્રસાર કરવામાં આવેલ હતો. આ કામગીરી માટે લાલપરના મેડિકલ ઓફિસર ડો. દર્શન ખત્રી, ડો. જયેશ રામાવત, દીપકભાઈ વ્યાસએ જરૂરી માર્ગદર્શન પૂરું પડેલ હતું. તેમજ આરોગ્ય કર્મચારી દિલીપ દલસાણીયા સહિતના વિવિધ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

