મોરબીના મિલકતધારકોને ઓનલાઈન ટેકસ ભરીને વધુ રીબેટનો લાભ લેવા અધિકારીની અપીલ મોરબી મનપાની ફૂડ શાખાએ રવાપર રોડે ખાણીપીણીના 20 વેપારીઓને ત્યાં કર્યું ચેકિંગ: આખાદ્ય ચટણી, ફૂડ કલર અને તેલના જથ્થાનો કર્યો નાશ મોરબી : અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખના માતૃશ્રીની પુણ્યતિથિ નિમિતે અનાથ દિવ્યાંગ બાળકોને વસ્ત્રો, ભોજન અને ફળનું વિતરણ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્રારા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે સ્ટેશનરી વિતરણ વાંકાનેરના માટેલ રોડ ઉપર પેપર મિલમાં લાગેલી આગથી 20 કરોડોનું નુકશાન: હજુ પણ આગ બેકાબૂ, 7 ફાયર ફાઈટર ઘટના સ્થળે હળવદના સેવાભાવી યુવાન અને જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે દ્વારા ૪૫ મી વખત રક્તદાન મોરબી જિલ્લા પંચાયત ખાતે પોશ એક્ટ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો મેન્ગૃવ સંરક્ષણ: મોરબી જીલ્લામાં ૫.૨૯ કરોડના ખર્ચે ૧૫૦૦ હેક્ટર જમીનમાં ચેરનું વાવેતર કરાયું
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુથી લખધીરપુર જવાના રસ્તે કેનાલમાં ડૂબી જવાથી આધેડનું મોત


SHARE











મોરબીના ઘુંટુથી લખધીરપુર જવાના રસ્તે કેનાલમાં ડૂબી જવાથી આધેડનું મોત

મોરબીના ઘુંટુથી લખધીરપુર રોડ જતી કેનાલમાં એક આધેડ ડૂબી ગયા હોવાનો કોલ મોરબી પાલિકાના ફાયર વિભાગને મળ્યો હતો. જેથી ફાયરની ટીમ ત્યાં પહોચી હતી અને કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢીને પીએમ માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને બનવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ ઘુંટુથી લખધીરપુર તરફ જતી કેનાલમાં 56 વર્ષના મનસુખભાઈ માનસંગભાઈ કોળી પડી ગયા હતા. જેથી કરીને આ અંગેની જાણ મોરબી પાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમ ત્યાં પહોચી હતી અને મૃતકના બોડીને કેનાલમાંથી બહાર કાઢીને મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે જેથી કરીને બનાવ અકસ્માતનો છે કે આપઘાતનો તે દિશામાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News