હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુથી લખધીરપુર જવાના રસ્તે કેનાલમાં ડૂબી જવાથી આધેડનું મોત


SHARE

















મોરબીના ઘુંટુથી લખધીરપુર જવાના રસ્તે કેનાલમાં ડૂબી જવાથી આધેડનું મોત

મોરબીના ઘુંટુથી લખધીરપુર રોડ જતી કેનાલમાં એક આધેડ ડૂબી ગયા હોવાનો કોલ મોરબી પાલિકાના ફાયર વિભાગને મળ્યો હતો. જેથી ફાયરની ટીમ ત્યાં પહોચી હતી અને કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢીને પીએમ માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને બનવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ ઘુંટુથી લખધીરપુર તરફ જતી કેનાલમાં 56 વર્ષના મનસુખભાઈ માનસંગભાઈ કોળી પડી ગયા હતા. જેથી કરીને આ અંગેની જાણ મોરબી પાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમ ત્યાં પહોચી હતી અને મૃતકના બોડીને કેનાલમાંથી બહાર કાઢીને મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે જેથી કરીને બનાવ અકસ્માતનો છે કે આપઘાતનો તે દિશામાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News