મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી નજીકના લાલપર ગામ પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલા કાચા કામના કેદીનું બીમારી સબબ સારવારમાં મોત


SHARE







મોરબી નજીકના લાલપર ગામ પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલા કાચા કામના કેદીનું બીમારી સબબ સારવારમાં મોત

મોરબીના લાલપર ગામ પાસે બાવળની જાળીમાંથી મોઢા, કપાળ અને નેણના ભાગ ઉપર બોથડ પદાર્થના ઘા મારીને યુવાનની હત્યા કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે અગાઉ મૃતક યુવાનના બે મિત્રોની ધરપકડ કરી હતી અને તે જેલ હવાલે કરવામાં આવેલ હતા અને તે બે આરોપી પૈકીનાં એક આરોપીને ટીબીની બીમારી હતી જેથી તેને રાજકોટ ખાતે પોલીસ જાપ્તા સાથે સારવાર માટે લઈને ગયા હતા ત્યાર સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લાલપર ગામ પાસે યુવાનની હતું કરવામાં આવી હતી જે ગુનામાં પકડાયેલ આરોપી અર્જુન જવરચંદ ગામર (રહે. મૂળ એમપી હાલ લાલપર)ને ટીબીની બીમારી હતી જેથી તેને સારવાર માટે પહેલા મોરબી અને ત્યાંથી રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા ત્યારે ચાલુ સારવારમાં તેનું મોત નીપજયું છે જેથી તાલુકા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના મસાદરા ગામના રહેવાસી કનુભાઈ સુરમાભાઈ ખાંટ જાતે ઠાકોર (૫૨)એ હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી. જેમાં તેને જણાવ્યું હતું કે, તેઓનો કૌટુંબિક ભાઈ બાબુભાઈ ઉર્ફે બાલુ નાનાભાઈ ખાંટ જાતે ઠાકોર (૨૫)ની લાલપર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળના ભાગમાં મોઢા, કપાળ અને નેણના ભાગે બોથડ પદાર્થના ઘા જીકીને તેની હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે જે તે સમયે મૃતક યુવાનના બે મિત્રો દિનેશ ખુમાન માવી અને અર્જુન જવરચંદ ગામરની ધધરપકડ કરેલ હતી અને આ બંને આરોપીઓને જેલ હવાલે કરેલ હતા જે બંને આરોપીઓ કાચા કામના કેદી તરીકે જેલમાં હતા અને અર્જુન જવરચંદ ગામરને ટીબીની બીમારી હોવાથી તેને અગાઉ પણ સારવાર માટે લઈ ગયા હતા અને હાલમાં તેનું મોત નીપજયું છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ આરોપીને તા. 15/10/23 ના રોજ મોરબી સબ જેલ હવાલે કરવામાં આવેલ હતો. અને તેને છેલ્લા મહિનાઓમાં ચારથી પાંચ વખત ટીબીની બીમારીના લીધે સારવારમાં લઈ ગયા હતા. જો કે, ગત તા. 6/7/24 ના બપોરના બારેક વાગ્યે તેની તબિયત બગડતા તેને મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં પ્રિઝનલ વોર્ડમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં છ દિવસની સારવાર દરમિયાન ગઈકાલ તા. 12/7 ના રાત્રિના નવેક વાગ્યાના અરસામાં અર્જુનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી છે છે અને આગળની તપાસ પીએસઆઇ સી.એમ. કરકર ચલાવી રહ્યા છે.






Latest News