વાંકાનેરમાં કેમ કાતર મારેશ કહેતા બે યુવાનો ઉપર આઠ લોકોનો હુમલો, જાનથી મારી નાંખવાની ધમકી વાંકાનેરમાં મિત્ર સાથેના ઝઘડામાં યુવાન સહિતનાઓ ઉપર કુહાડી-છરી વડે હુમલો, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે યુવાશક્તિ ગ્રુપ-મોરબી દ્વારા રક્તદાન તથા રક્તદાતાઓનું સન્માન મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ માટે તા.૧૮ ના કલેકટર કચરી ખાતે ધરણા રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં આઠ-આઠ વર્ષ થયાં છતાં કોઇ ચુકાદા આવતા નથી :લાલજી મહેતા મોરબીમાં બોગસ ડોક્યુમેન્ટ આધારે ખેડૂત તરીકે ખોટી ઓળખ ધારણ કરવાના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં વહેલી સવારે ઘાસ વહેંચવા ઉભેલા વૃદ્ધને હડફેટ લઈ મોત નીપજાવનાર બોલેરો ચાલકની શોધખોળ મોરબીમાં એકટીવા આપવાની ના પાડતા ધોકા વડે માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી !
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ-મીતાણા રોડ ઉપર પગપાળા જતા યુવાનને બોલેરોના ચાલકે હડફેટ લેતા યુવાનનું મોત


SHARE











ટંકારાના નેકનામ-મીતાણા રોડ ઉપર પગપાળા જતા યુવાનને બોલેરોના ચાલકે હડફેટ લેતા યુવાનનું મોત

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલા મીતાણા ગામે રહીને વાડીમાં ખેત મજૂરીનું કામ કરતો યુવાન ગઈકાલે સાંજના ઘરની વસ્તુઓ લેવા માટે બહાર નીકળ્યો હતો અને તે પગપાળા નેકનામ-મીતાણા રોડ ઉપરથી જતો હતો ત્યારે અજાણ્યા બોલેરોના ચાલકે તેને હડફેટ લેતા માથાના ભાગે થયેલી ઇજાઓ સાથે તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો.ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મૂળ દાહોદના દેવગઢ તાલુકાના આમલીપાણી માત્રા ગામના વતની સુરપાલભાઇ ભાવસિંગભાઇ નાઈ (ઉમર 35) હાલ અજયભાઈ ભાગીયાની વાડીમાં, મિતાણા તા.ટંકારા જી.મોરબી ખાતે રહેતા હતા.તેઓ તા.29-7 ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં ગામ માટે કરિયાણાની તેમજ અન્ય વસ્તુઓ લેવા માટે નીકળ્યો હતો. અને તે નેકનામ-મિતાણા રોડ ઉપર પગપાળા જતો હતો.ત્યારે કોઈ અજાણ્યા બોલેરો કારના ચાલકએ તેણે ઠોકરે લેતા ઇજાગ્રસ્ત હાલતમાં સુરપાલભાઈને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.રાજકોટ ખાતે સારવાર દરમિયાન સુરપાલભાઈ ભાવસિંગભાઈ નાઈ નામના મૂળ ગોધરાના મજુર યુવાનનું મોત નીપજતા રાજકોટ ખાતેથી યાદી આવી હતી.જેથી હાલ ટંકારા પોલીસ મથકના ચેતનભાઇ કડવાતરએ આ બાબતે અકસ્માત મૃત્યુ અંગે નોંધ કરી હતી અને અકસ્માત સર્જીને ભાગી છુટેલા બોલેરો ચાલકને પકડવા માટે પોલીસ દ્વારા આગળની તપાસ કરવી શરૂ કરવામાં આવી છે.

બાળક સારવારમાં

મોરબીના ગેસ્ટ હાઉસ રોડ પાસે આવેલ શક્તિ ચોકના વણાંક પાસે બાઈક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો.જે બનાવમાં બાઇકના પાછળના ભાગે બેઠેલા સાગર ભગવાનજીભાઈ જીંજુવાડીયા (ઉંમર 15) રહે.માર્કો વિલેજ સોસાયટી મહેન્દ્રનગર તા.જી.મોરબીને ઇજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો.બનાવને પગલે એ ડીવીજન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના ટીકર રણ ખાતે રહેતો ધનજીભાઈ માવજીભાઈ પરમાર નામનો 32 વર્ષનો યુવાન ઘાટીલા ગામ પાસે નર્મદાની કેનાલમાં પડી ગયો હતો.જેથી તેને સારવાર માટે હળવદની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જેથી મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલે પ્રાથમિક તપાસ કરીને આ અંગે હળવદ પોલીસને જાણ કરી હતી.






Latest News