મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

વાહ રે વિકાસ, મોરબી રાજકોટ રોડ બને તે પહેલા જ તૂટવા લાગ્યો


SHARE













વારે વિકાસ, મોરબી રાજકોટ રોડ બને તે પહેલા જ તૂટવા લાગ્યો

મોરબીથી રાજકોટ સુધીનો હાઇવે છેલ્લા ઘણા વર્ષોથી બનાવવા માટેનું કામ ચાલી રહ્યું છે અને હજુ તો કામ ચાલી રહ્યું છે ત્યાં રોડમાં ખાડ પડવા લાગ્યા છે જેથી કરીને આ બાબતે રાજ્યના માર્ગ અને મકાન મંત્રાલયમાં લેખિતમાં રજૂઆત કરીને રોડનું યોગ્ય રીતે સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી છે તેમજ ભારે વરસાદના લીધે મોરબીના માળીયા વનાળિયા વિસ્તારમાં લોકોના કાચા મકાનોને નુકશાન થયેલ છે જેથી વળતર આપવાની માંગ કરવામાં આવી છે.

હાલમાં ટંકારાના વીરપર ગામે રહેતા પરાગકુમાર મુંદડીયાએ રાજ્યના માર્ગ અને મકાન મંત્રાલયમાં લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છેકે, મોરબીથી રાજકોટને જોડતો જે મુખ્ય હાઇવે આવેલ છે તે નવા રોડનું કામ હજુ ગણતરીના મહિના થયા છે ત્યાં તે રોડ મગરની પીઠ જેવો થઇ ગયો છે અને જયા ખાડા પડે છે ત્યાં સીમેંટના બ્લૉક્સ નાંખી દેવાના આવે છે જેથી કરીને બાઈક તથા કાર લઈને જતાં વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને તેવી શક્યતા છે માટે આ રોડને તાત્કાલિકના ધોરણે રિપેર કરવામાં આવે તેવી માંગ કરી છે. અને ખાસ કરીને શક્ત સનાળાથી ટંકારા ગામ સુધીનો રોડ વધુ ખરાબ થઈ ગયેલ છે માટે સારી રીતે રોડનું સમારકામ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે.

માળીયા વનાળિયા વિસ્તારમાં ભારે વરસાદથી લોકોન ઘરમાં નુકશાન

 તો મોરબીના માળીયા વનાળીયા વિસ્તારમાં ભારે વરસાદથી કાચા મકાનોને નુકસાન થયેલ છે જેથી કરીને વળતર અપાવવા માટે ગામ પંચાયતના સરપંચ અને તલાટી કમ મંત્રી મારફતે લેખિત રજૂઆત કરવામાં આવી છે અને માળીયા વનાળીયામા આવતા અનુસુચિત વિસ્તારો જેવા રામદેવનગર, ઉમીયા નગર, શક્તિ સોસાયટી, ભીલનગર વિવિધ વિસ્તારમાં આવતા કાચા મકાનોમાં તાજેતરમાં ભારે વરસાદથી નુકસાન થયેલ છે અને સ્થાનિક રહેવાસીઓ તથા ગરીબ પરિવારોના કાચા નળિયા વાળા મકાનોમાં થયેલ નુકસાનને ધ્યાને રાખીને સરકાર તરફથી વળતર આપવામાં આવે તેવી સ્થાનિક રહેવાસી અને સામાજિક કાર્યકર એવા રામજીભાઈ જેઠાભાઈ ચાવડાએ માંગ કરી છે








Latest News