માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાંથી અપર્હત સગીરા સગીર આરોપી સાથે મનાલીથી મળી


SHARE

















મોરબીમાંથી અપર્હત સગીરા સગીર આરોપી સાથે મનાલીથી મળી

મોરબીના જુના બસ સ્ટેશન પાસેના વિસ્તારમાં રહેતા મુસ્લિમ પરિવારની સગીરાનું થોડા દિવસો પહેલા અપહરણ થયું હતું અને જેની તપાસ દરમિયાન એ ડિવિઝન પોલીસે ભોગ બનેલ સગીરાને સગીર આરોપીની સાથે મનાલી ખાતેથી હસ્તગત  કરી હતી.આરોપી (કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર) પણ સગીર હોવાના લીધે તેને રાજકોટ બાળ સુધારણા ગૃહમાં મોકલવામાં આવ્યો હોવાનું હાલ પોલિસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી એ ડીવીજન પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના જુના બસ સ્ટેશન પાસે આવેલા ઘાંચી શેરી વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું થોડા સમય પહેલા અપહરણ કરવામાં આવ્યું હતું. ભોગ બનેલ સગીરા તેમજ આરોપી બંને કુલુ મનાલી ખાતે હોવાની બાતમી મળતા પોલીસ સ્ટાફએ ત્યાં પહોંચીને ભોગ બનેલ સગીરાને હસ્તગત કરી હતી.અને સાથે મળી આવેલ આરોપી પણ સગીર વયનો હોવાના લીધે તેને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.કોર્ટ તરફથી હુકમ કરાતા હાલ તેને રાજકોટ બાળ સુધારણા ગૃહમાં મોકલી આપવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભોગ બનેલ સગીરાના ઘર નજીક આરોપીના કૌટુંબિક સગા રહેતા હોય તે ત્યાં આવતો જતો હતો.જેથી કરીને સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી અને બાદમાં તેણીને મનાલી ખાતે ફરવા માટે લઈ ગયો હતો.પોલીસ દ્વારા સગીરાના મેડિકલ સહિતની આગળની તજવીજ હાથ ધરાય છે.

રાજકોટ ખસેડાયા

મોરબીના રફાળેશ્વર ગામથી જોધપર જતા રસ્તા ઉપર બાઈક અકસ્માત થયો હતો.જેમાં બાઈક લઈને જઈ રહેલ વિનોદભાઈ રાયધનભાઈ મંઢ (ઉંમર ૩૪) રહે.મેઘપર તાલુકો માળીયા મીયાણા જીલ્લો મોરબી ના બાઇકને કોઈ અજાણ્યા વાહનના ચાલકે હળફેટ લીધું હતું જે બનાવમાં વિનોદભાઈને ઇજાઓ થતા મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને હાલ ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હોય તાલુકા પોલીસ મથકના બી.જી. દેત્રોજા દ્વારા આ અકસ્માત બનાવ સંદર્ભે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.




Latest News