મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાંથી અપર્હત સગીરા સગીર આરોપી સાથે મનાલીથી મળી


SHARE









મોરબીમાંથી અપર્હત સગીરા સગીર આરોપી સાથે મનાલીથી મળી

મોરબીના જુના બસ સ્ટેશન પાસેના વિસ્તારમાં રહેતા મુસ્લિમ પરિવારની સગીરાનું થોડા દિવસો પહેલા અપહરણ થયું હતું અને જેની તપાસ દરમિયાન એ ડિવિઝન પોલીસે ભોગ બનેલ સગીરાને સગીર આરોપીની સાથે મનાલી ખાતેથી હસ્તગત  કરી હતી.આરોપી (કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર) પણ સગીર હોવાના લીધે તેને રાજકોટ બાળ સુધારણા ગૃહમાં મોકલવામાં આવ્યો હોવાનું હાલ પોલિસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી એ ડીવીજન પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના જુના બસ સ્ટેશન પાસે આવેલા ઘાંચી શેરી વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું થોડા સમય પહેલા અપહરણ કરવામાં આવ્યું હતું. ભોગ બનેલ સગીરા તેમજ આરોપી બંને કુલુ મનાલી ખાતે હોવાની બાતમી મળતા પોલીસ સ્ટાફએ ત્યાં પહોંચીને ભોગ બનેલ સગીરાને હસ્તગત કરી હતી.અને સાથે મળી આવેલ આરોપી પણ સગીર વયનો હોવાના લીધે તેને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.કોર્ટ તરફથી હુકમ કરાતા હાલ તેને રાજકોટ બાળ સુધારણા ગૃહમાં મોકલી આપવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભોગ બનેલ સગીરાના ઘર નજીક આરોપીના કૌટુંબિક સગા રહેતા હોય તે ત્યાં આવતો જતો હતો.જેથી કરીને સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી અને બાદમાં તેણીને મનાલી ખાતે ફરવા માટે લઈ ગયો હતો.પોલીસ દ્વારા સગીરાના મેડિકલ સહિતની આગળની તજવીજ હાથ ધરાય છે.

રાજકોટ ખસેડાયા

મોરબીના રફાળેશ્વર ગામથી જોધપર જતા રસ્તા ઉપર બાઈક અકસ્માત થયો હતો.જેમાં બાઈક લઈને જઈ રહેલ વિનોદભાઈ રાયધનભાઈ મંઢ (ઉંમર ૩૪) રહે.મેઘપર તાલુકો માળીયા મીયાણા જીલ્લો મોરબી ના બાઇકને કોઈ અજાણ્યા વાહનના ચાલકે હળફેટ લીધું હતું જે બનાવમાં વિનોદભાઈને ઇજાઓ થતા મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને હાલ ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હોય તાલુકા પોલીસ મથકના બી.જી. દેત્રોજા દ્વારા આ અકસ્માત બનાવ સંદર્ભે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.






Latest News