મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના અણિયારી અને મોડપર નાટક, મોટા ખીજડીયામાં રામામંડળ: કુબેરનાથ મહાદેવ મંદિરે કાલે અન્નકૂટ દર્શન


SHARE









મોરબીના અણિયારી અને મોડપર નાટક, મોટા ખીજડીયામાં રામામંડળ: કુબેરનાથ મહાદેવ મંદિરે કાલે અન્નકૂટ દર્શન

મોરબી તાલુકાના અણીયારી ગામે કાલે પ્રાથમિક શાળામાં રાતના ૧૦ વાગ્યે જુના અને જાણીતા કલાકારો સાથે મહાન સામાજિક નાટક રાણો કુંવર અને પેટ પકડીને હસાવતું કોમિક રજુ કરવામાં આવશે જેથી કરીને આ નાટકનો લાભ લેવા આયોજકો દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે

મોડપરમાં નાટક યોજાશે

મોરબી તાલુકાના મોડપર ગામમાં કાલે રાતે નાટકનું આયોજન કરવા આવ્યું છે જેમાં જૂનાગઢના ઇતિહાસને ઉજાગર કરાતું સોરઠનો સિરતાજ રાકવાંટતેમજ લોકોને હસાવવા માટે કોમિક દિકરો દયારામનું નાટક કલાકારો દ્વારા રજૂ કરવામાં આવશે જેથી કરીને આ કાર્યક્ર્મનો લાભ લેવા માટે આયોજકો દ્વારા ગામના લોકો સહિતનાને આમંત્રણ આપવામાં આવ્યું છે


રામામંડળ
મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલ મોટા ખીજડીયા ગામમાં રવિવાર તા ૭ ના રોજ રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. અને મોટા ખીજડીયા ગામમાં રાસંગપર વાળા રામામંડળના કલાકારો દ્વારા કાર્યક્ર્મ રજૂ કરવામાં આવશે જેથી કરીને ગ્રામજનો સહિતના લોકોને આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે

અન્નકૂટ દર્શન
મોરબીના કુબેરનાથ મહાદેવ મંદિરે આવતી કાલે નૂતન વર્ષના દિવસે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે મંદિરમાં અન્નકૂટ તૈયાર કરવા માટેની તાડામાર તૈયારીઓ મંદિર દ્વારા કરવામાં આવેલ છે જેમાં અન્નકૂટ દર્શનનો સમય બપોરે ૧૨ થી ૫ વાગ્યા સુધીનો રાખવામા આવેલ છે જેથી કરીને દરેક ભક્તોને અન્નકૂટ દર્શનનો લાભ લેવા કુબેરનાથ મહાદેવ મંદિરના મહંત અક્ષયગિરી અને નિલેશગીરીએ અનુરોધ કરેલ છે. 






Latest News