ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત મોરબીના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવાના ગુનામાં શિવમ રબારી સહિત 6 આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ
Breaking news
Morbi Today

મોરબીના અણિયારી અને મોડપર નાટક, મોટા ખીજડીયામાં રામામંડળ: કુબેરનાથ મહાદેવ મંદિરે કાલે અન્નકૂટ દર્શન


SHARE













મોરબીના અણિયારી અને મોડપર નાટક, મોટા ખીજડીયામાં રામામંડળ: કુબેરનાથ મહાદેવ મંદિરે કાલે અન્નકૂટ દર્શન

મોરબી તાલુકાના અણીયારી ગામે કાલે પ્રાથમિક શાળામાં રાતના ૧૦ વાગ્યે જુના અને જાણીતા કલાકારો સાથે મહાન સામાજિક નાટક રાણો કુંવર અને પેટ પકડીને હસાવતું કોમિક રજુ કરવામાં આવશે જેથી કરીને આ નાટકનો લાભ લેવા આયોજકો દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે

મોડપરમાં નાટક યોજાશે

મોરબી તાલુકાના મોડપર ગામમાં કાલે રાતે નાટકનું આયોજન કરવા આવ્યું છે જેમાં જૂનાગઢના ઇતિહાસને ઉજાગર કરાતું સોરઠનો સિરતાજ રાકવાંટતેમજ લોકોને હસાવવા માટે કોમિક દિકરો દયારામનું નાટક કલાકારો દ્વારા રજૂ કરવામાં આવશે જેથી કરીને આ કાર્યક્ર્મનો લાભ લેવા માટે આયોજકો દ્વારા ગામના લોકો સહિતનાને આમંત્રણ આપવામાં આવ્યું છે


રામામંડળ
મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલ મોટા ખીજડીયા ગામમાં રવિવાર તા ૭ ના રોજ રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. અને મોટા ખીજડીયા ગામમાં રાસંગપર વાળા રામામંડળના કલાકારો દ્વારા કાર્યક્ર્મ રજૂ કરવામાં આવશે જેથી કરીને ગ્રામજનો સહિતના લોકોને આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે

અન્નકૂટ દર્શન
મોરબીના કુબેરનાથ મહાદેવ મંદિરે આવતી કાલે નૂતન વર્ષના દિવસે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે મંદિરમાં અન્નકૂટ તૈયાર કરવા માટેની તાડામાર તૈયારીઓ મંદિર દ્વારા કરવામાં આવેલ છે જેમાં અન્નકૂટ દર્શનનો સમય બપોરે ૧૨ થી ૫ વાગ્યા સુધીનો રાખવામા આવેલ છે જેથી કરીને દરેક ભક્તોને અન્નકૂટ દર્શનનો લાભ લેવા કુબેરનાથ મહાદેવ મંદિરના મહંત અક્ષયગિરી અને નિલેશગીરીએ અનુરોધ કરેલ છે. 






Latest News