મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના અણિયારી અને મોડપર નાટક, મોટા ખીજડીયામાં રામામંડળ: કુબેરનાથ મહાદેવ મંદિરે કાલે અન્નકૂટ દર્શન


SHARE











મોરબીના અણિયારી અને મોડપર નાટક, મોટા ખીજડીયામાં રામામંડળ: કુબેરનાથ મહાદેવ મંદિરે કાલે અન્નકૂટ દર્શન

મોરબી તાલુકાના અણીયારી ગામે કાલે પ્રાથમિક શાળામાં રાતના ૧૦ વાગ્યે જુના અને જાણીતા કલાકારો સાથે મહાન સામાજિક નાટક રાણો કુંવર અને પેટ પકડીને હસાવતું કોમિક રજુ કરવામાં આવશે જેથી કરીને આ નાટકનો લાભ લેવા આયોજકો દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે

મોડપરમાં નાટક યોજાશે

મોરબી તાલુકાના મોડપર ગામમાં કાલે રાતે નાટકનું આયોજન કરવા આવ્યું છે જેમાં જૂનાગઢના ઇતિહાસને ઉજાગર કરાતું સોરઠનો સિરતાજ રાકવાંટતેમજ લોકોને હસાવવા માટે કોમિક દિકરો દયારામનું નાટક કલાકારો દ્વારા રજૂ કરવામાં આવશે જેથી કરીને આ કાર્યક્ર્મનો લાભ લેવા માટે આયોજકો દ્વારા ગામના લોકો સહિતનાને આમંત્રણ આપવામાં આવ્યું છે


રામામંડળ
મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલ મોટા ખીજડીયા ગામમાં રવિવાર તા ૭ ના રોજ રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. અને મોટા ખીજડીયા ગામમાં રાસંગપર વાળા રામામંડળના કલાકારો દ્વારા કાર્યક્ર્મ રજૂ કરવામાં આવશે જેથી કરીને ગ્રામજનો સહિતના લોકોને આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે

અન્નકૂટ દર્શન
મોરબીના કુબેરનાથ મહાદેવ મંદિરે આવતી કાલે નૂતન વર્ષના દિવસે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે મંદિરમાં અન્નકૂટ તૈયાર કરવા માટેની તાડામાર તૈયારીઓ મંદિર દ્વારા કરવામાં આવેલ છે જેમાં અન્નકૂટ દર્શનનો સમય બપોરે ૧૨ થી ૫ વાગ્યા સુધીનો રાખવામા આવેલ છે જેથી કરીને દરેક ભક્તોને અન્નકૂટ દર્શનનો લાભ લેવા કુબેરનાથ મહાદેવ મંદિરના મહંત અક્ષયગિરી અને નિલેશગીરીએ અનુરોધ કરેલ છે. 






Latest News