આમ આદમી પાર્ટીના મોરબી પાલિકાના ઈનચાર્જ તરીકે વસંતભાઈ ગોરીયાની વરણી
મોરબીમાં આજે અધ્યયન મંડળ દ્વારા હિન્દુત્વ વિષય ઉપર કાર્યશાળા
SHARE








મોરબીમાં આજે અધ્યયન મંડળ દ્વારા હિન્દુત્વ વિષય ઉપર કાર્યશાળા
રાષ્ટ્રના ઉત્થાન માટે અધ્યયનશીલ લોકોનું મોટું યોગદાન હોય છે. અધ્યયન મંડળ મોરબી દ્વારા હિન્દુ સંવત્સર મહિનાના ચોથા ગુરુવારે સમાજ જીવનના સ્પર્શતા જુદા જુદા વિષયોને લઈને એક સેમિનારમાં થાય છે.
આ વખતે ૨૮ મી કાર્યશાળા (સેમિનાર) તા ૨૪ ને ગુરુવારે રાત્રે ૯:૧૫ વાગ્યે ગાયત્રી ચેતના કેન્દ્ર, નવા હાઉસીંગ બોર્ડ,શનિદેવના મંદિર પાછળ યોજાશે. જેમાં વક્તા મિલનભાઈ પૈંડા હિન્દુત્વ વિષય પર વાતચીત કરશે. આ સેમિનારમાં અધ્યયનશીલ લોકો દ્વારા અત્યંત રસપ્રદ ચર્ચાઓ કરવામાં આવે છે. અને સમાજના લોકોને( અધ્યેતાઓને) આ કાર્યક્રમમાં જોડાવવા મોરબી અધ્યયન મંડળના સંયોજક ડો જયેશભાઈ પનારા અને સહસંયોજકો વિજયભાઈ રાવલ તેમજ કમલેશભાઈ અંબાસણા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે

