વાંકાનેરની ભાટિયા સોસાયટીનો બનાવ: દીકરાના કૌટુંબિક સાળા સહિત ચાર શખ્સોએ દંપતીને મારમાર્યો
મોરબીના રફાળેશ્વર પાસે મેળાના મેદાન નજીક યુવાનને ચાર શખ્સોએ ઢીકાપાટુનો આડેધડ મારમાર્યો
SHARE
મોરબીના રફાળેશ્વર પાસે મેળાના મેદાન નજીક યુવાનને ચાર શખ્સોએ ઢીકાપાટુનો આડેધડ મારમાર્યો
મોરબીના રફાળેશ્વર ગામ પાસે યોજાયેલ મેળાના મેદાનમાં યુવાનને ઢીકાપાટુનો આડેધડ ચાર શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજઈજ શરૂ કરેલ છે
મોરબી તાલુકાના નવા મકાનસર ગામે વાદીપરામાં રહેતા રવિભાઈ દિનેશભાઈ નંદેસરીયા (24) એ હાલમાં રવિ રહે. મકનસર તથા સાવન રહે. મકનસર અને તેની સાથે રહેલા બે બીજા અજાણ્યા શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, ગત તા. 15 ના રોજ રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં રફાળેશ્વર ગામે મેળાના ગ્રાઉન્ડ પાસે આરોપીઓએ ફરિયાદી યુવાનને કોઈ કારણોસર ઢીકાપાટુનો માર માર્યો હતો અને અજાણ્ય શખ્સે છરી બતાવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ હાલમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. # morbi #મોરબી