મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે
SHARE
મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે
મોરબી તાલુકાના નવા નાગડાવાસના રેવ.સર્વે નં.૬૬, સર્વે નં.૬૭, સર્વે નં.૬૫ વાળી જમીન અંગે દક્ષાબેન વજુભાઈ હુંબલનાએ પોતાના પિતાપક્ષના વડીલની મિલ્કત સંબંધે તેણીની જાણ તથા રજા-મંજુરી વગર કરવામાં આવેલ રજી.દસ્તાવેજ રજી.દ.નં.૪૦૯૪ તા.૨૭-૨-૨૪ રદ ફરમાવવા તથા પોતાનો હિસ્સો અલગ કરી તેનો કબજો મળવા તથા કાયમી મનાઈ હુકમ મળવા દાવો કરી કામ ચલાઉ મનાઈ હુકમ મળવા શ્રી મોરબીના મહે.એડી.સિવિલ જજ સાહેબની કોટૅમાં દાવો દાખલ કરી અરજ-અહેવાલ કરેલ હતો.જે બાબત આખા જીલ્લામાં તે મેટર ચર્ચાનો વિષય બની હતી.
જેમાં કામચલાઉ મનાઈ હુકમ મળવા માટેની અરજી સંબંધે બંને પક્ષનાઓને સાંભળીને શ્રી મોરબીના મહે.એડી.સિવિલ જજ સાહેબ મહે.શ્રી એસ.એ.મેમણ સાહેબે તકરારમાં રહેલ મિલકત સબંધે આ કામના પ્રતિવાદી નરેશભાઈ હરજીભાઈ પાંચોટીયાએ આ મિલકત વેંચાણ, ગીરો, ટ્રાન્સફર અન્ય કોઈ વ્યકિતઓને કરવી-કરાવવી નહી તેવો કામ ચલાઉ મનાઈ હુકમ દાવાના આખરી નિકાલ થતા સુધી ફરમાવેલ છે.આ કામમાં વાદી/અરજદાર દક્ષાબેન વજુબેનના એડવોકેટ તરીકે મોરબીના જાણીતા સીનીયર એડવોકેટ પુષ્પાબેન ભટ્ટ રોકાયેલ હતા. # morbi #મોરબી