મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે


SHARE













મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે

મોરબી તાલુકાના નવા નાગડાવાસના રેવ.સર્વે નં.૬૬, સર્વે નં.૬૭, સર્વે નં.૬૫ વાળી જમીન અંગે દક્ષાબેન વજુભાઈ હુંબલનાએ પોતાના પિતાપક્ષના વડીલની મિલ્કત સંબંધે તેણીની જાણ તથા રજા-મંજુરી વગર કરવામાં આવેલ રજી.દસ્તાવેજ રજી.દ.નં.૪૦૯૪ તા.૨૭-૨-૨૪ રદ ફરમાવવા તથા પોતાનો હિસ્સો અલગ કરી તેનો કબજો મળવા તથા કાયમી મનાઈ હુકમ મળવા દાવો કરી કામ ચલાઉ મનાઈ હુકમ મળવા શ્રી મોરબીના મહે.એડી.સિવિલ જજ સાહેબની કોટૅમાં દાવો દાખલ કરી અરજ-અહેવાલ કરેલ હતો.જે બાબત આખા જીલ્લામાં તે મેટર ચર્ચાનો વિષય બની હતી.

જેમાં કામચલાઉ મનાઈ હુકમ મળવા માટેની અરજી સંબંધે બંને પક્ષનાઓને સાંભળીને શ્રી મોરબીના મહે.એડી.સિવિલ જજ સાહેબ મહે.શ્રી એસ.એ.મેમણ સાહેબે તકરારમાં રહેલ મિલકત સબંધે આ કામના પ્રતિવાદી નરેશભાઈ હરજીભાઈ પાંચોટીયાએ આ મિલકત વેંચાણ, ગીરો, ટ્રાન્સફર અન્ય કોઈ વ્યકિતઓને કરવી-કરાવવી નહી તેવો કામ ચલાઉ મનાઈ હુકમ દાવાના આખરી નિકાલ થતા સુધી ફરમાવેલ છે.આ કામમાં વાદી/અરજદાર દક્ષાબેન વજુબેનના એડવોકેટ તરીકે મોરબીના જાણીતા સીનીયર એડવોકેટ પુષ્પાબેન ભટ્ટ રોકાયેલ હતા. # morbi #મોરબી 








Latest News