મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૬-૨૭ ના વાર્ષિક ઋણ આયોજન (ACP) નું વિમોચન કરાયું મોરબી જિલ્લા પ્રભારી સચિવ રાજેન્દ્ર કુમારે વીસીથી જિલ્લા વહીવટી તંત્રની કામગીરીની સમીક્ષા કરી મોરબી તાલુકાના વિવિધ પેન્શન અને સહાય યોજનાના લાભાર્થીઓ માટે 15 જૂન સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીના સિરામિક એસો.ના પ્રમુખે મનપાના કમિશ્નરને વિકાસના નવા શિખરો સર કરવા શુભકામના પાઠવી મોરબીના સિરામિક ઉદ્યોગમાં ડીઝલની અછતના લીધે ઊભી થનારી સ્થિતિ માટે પ્રમુખે કલેક્ટરને કરી રજૂઆત મોરબીમાં ધોળા દિવસે 8.38 લાખની લૂંટ કરવાના ગુનામાં મુખ્ય સુત્રાધાર સહિત 3 આરોપીની ધરપકડ: બેની શોધખોળ મોરબીમાં ગોકુલ મથુરા સોસાયટીમાં આવેલા એપાર્ટમેન્ટની સાતમા માળની અગાશી ઉપરથી નીચે પડતાં મહિલાનું મોત મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે છોટાહાથીએ બાઈકને ઉડાવતા બે યુવાનોને ઈજા
Breaking news
Morbi Today

વાંકાનેરના મેસરીયા ગામે ઝેરી જનાવર કરડી જતા સારવારમાં ખસેડાયેલા આધેડ મહિલાનુ મોત


SHARE











વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા આધેડ મહિલાને તેઓના ઘરે ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી કરીને તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે આધેડ મહિલાનું મોત નિપજ્યુ હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે વાકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા ભીખુબેન માવજીભાઈ ભુસડિયા (55) નામના આધેડ મહિલા પોતાના ઘરે હતા ત્યારે તા. 24/11 ના રોજે સવારે સાત વાગ્યાના અરસામાં ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી કરીને તેને સારવાર માટે કુવાડવા પાસે આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ચાલુ સારવાર દરમિયાન તે આધેડ મહિલાનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News