મોરબીમાં નંદીઘરમા તાત્કાલિક ઘાસચારો-પાણીની વ્યવસ્થા કરવા કોંગ્રેસનાં આગેવાનની માંગ કાચું કપાયું કે શું ?: મોરબીના સિરામિક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિની ઝારખંડમાં માનવ તસ્કરી સહિતના ગુનામાં ધરપકડ હળવદના સાપકડા ગામનો બનાવ: દીકરાએ પિતાને કામ ધંધો કરવાનું કહેતા દંપતી વચ્ચે થયેલ ઝઘડા બાદ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત અપમૃત્યુના બે બનાવ: મોરબીમાં બેભાન થયા બાદ વૃદ્ધા અને સિંધાવદરમાં બેભાન થયા પછી યુવાનનું મોત ટંકારાના અમરાપર રોડે રિક્ષા ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે જુગાર રમતા 5 શખ્સ પકડાયા ટંકારાના ઓટાળા ગામે ગોદામમાં કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત હળવદના ખોડ-અજીતગઢ ગામે દારૂની બે ભઠ્ઠી ઉપર રેડ: 2250 લિટરઆથો-325 લિટર દેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના મેસરીયા ગામે ઝેરી જનાવર કરડી જતા સારવારમાં ખસેડાયેલા આધેડ મહિલાનુ મોત


SHARE











વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા આધેડ મહિલાને તેઓના ઘરે ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી કરીને તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે આધેડ મહિલાનું મોત નિપજ્યુ હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે વાકાનેર તાલુકાના મેસરીયા ગામે રહેતા ભીખુબેન માવજીભાઈ ભુસડિયા (55) નામના આધેડ મહિલા પોતાના ઘરે હતા ત્યારે તા. 24/11 ના રોજે સવારે સાત વાગ્યાના અરસામાં ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી કરીને તેને સારવાર માટે કુવાડવા પાસે આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ચાલુ સારવાર દરમિયાન તે આધેડ મહિલાનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News