મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં એમ્બ્યુલન્સમાં મુસાફરી !: વિડિયો વાયરલ થતા અનેક સવાલ


SHARE













મોરબી જીલ્લામાં એમ્બ્યુલન્સમાં મુસાફરી !: વિડિયો વાયરલ થતા અનેક સવાલ

મોરબી જીલ્લા સહિત દેશભરમાં એમ્બ્યુલન્સ માત્ર દર્દીઓની સેવા માટે અનામત રાખવામાં આવી છે. પણ મોરબી જિલ્લામાં એમ્બ્યુલન્સમાં મુસાફરોને બેસાડીને હેરાફેરી કરતા હોવાનો વિડિયો વાયરલ થયેલ છે.

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ લજાઇ ચોકડી પાસેનો એમ્બ્યુલન્સનો એક વિડિયો વાયરલ થયો છે. જેમા લજાઇ ચોકડી પાસે એમ્બ્યુલન્સમાં મુસાફર ભરતા હોય તેવુ દેખાઇ રહ્યુ છે અને આ વિડીયો મોરબી જીલ્લામાં વાયરલ થયો છે. ત્યારે સવાલએ ઉભો થાય છે કે સરકારી એમ્બ્યુલન્સમાં મુસાફરોને શા માટે બેસાડવામાં આવ્યા હતા. અને જે વાહનમાં મુસાફર બેસાડવામાં આવી રહ્યા છે તે વાંકાનેર તાલુકા વિસ્તારની સરકારી એમ્બ્યુલન્સ હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે. અને આ સરકારી એમ્બ્યુલન્સના નંબર જીજે 36 જી 0308 હોવાનું વિડિયોમાં દેખાઇ છે ત્યારે સરકારી વાહનનો દુરુ ઉપયોગ કરનાર સામે જવાબદાર તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવશે કે કેમ તે તો સમય જ બતાવશે.








Latest News