મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

મોરબી તાલુકા શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિન ઉજવાયો


SHARE













મોરબી તાલુકા શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિન ઉજવાયો

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી તાલુકાની પાંખ દ્વારા કર્તવ્ય બોધ દિનની ઉજવણી કરવામાં આવી હતી અખિલ ભારતીય સ્તરેથી નિશ્ચિત થયેલ કાર્યક્રમ કર્તવ્ય બોધ દિનની ઉજવણી તાલુકા સ્તરે કરવામાં આવે છે. સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ 12 મી જાન્યુઆરીથી શરૂ કરી શુભાષચંદ્ર બોઝ નેતાજીની જન્મ જ્યંતી સુધીમાં કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવે છે,એ અન્વયે નીલકંઠ વિદ્યાલય મોરબી ખાતે વિપુલભાઈ અધારા સૌરાષ્ટ્ર સંભાગ પ્રચાર પ્રમુખ દિનેશભાઈ વડસોલા, હિતેશભાઈ ગોપાણી, કિરણભાઈ કાચરોલા, સંદીપભાઈ આદ્રોજા વગેરેશૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓ, આચાર્યો,શિક્ષકોની ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયો હતો.  ત્યારે સ્વામી વિવેકાનંદજી અને શુભાષચંદ્ર બોઝ નેતાજીના જીવન કવન વિશે અને પંચ પરિવર્તન કુટુંબ પ્રબોધન, નાગરિક કર્તવ્ય,પર્યાવરણની જાળવણી, સામાજિક સમરસતા, સ્વ આધારિત સમાજ રચના વગેરે વિશે વાતો કરી હતી.








Latest News