મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના રંગપર પાસે રિક્ષા ચાલકે બાઈકને અડફેટે લેતા યુવાનને ઇજા: ગુનો નોંધાયો


SHARE











મોરબીના રંગપર પાસે રિક્ષા ચાલકે બાઈકને અડફેટે લેતા યુવાનને ઇજા: ગુનો નોંધાયો

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં આવેલ સિરામિક કારખાના પાસેથી બાઇક લઇને પસાર થઇ રહેલા યુવાનના બાઈકને રિક્ષા ચાલકે અડફેટે લીધૂ હતું જેથી યુવાનને હાથે પગે ફ્રેક્ચર અને શરીરે ગંભીર ઇજાઓ થવાના કારણે તેને સારવાર માટે લઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત યુવાનને સારવાર લીધા બાદ રિક્ષા ચાલકની સામે ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેતપર ગામે રહેતા ભાવેશભાઈ રામજીભાઈ પરમાર (ઉંમર ૨૭) પોતાનું બાઇક નંબર જીજે ૩૬ કે ૬૨૮૬ લઈને રંગપર ગામ પાસે આવેલ ફીનોલાઇટ સિરામિક કારખાના પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે રીક્ષા નંબર જીજે ૩ એજેડ ૫૯૪૪ ના ચાલક છગનભાઈ સાગઠિયા રહે. બેલા વાળાએ તેઓના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત સર્જાયો હતો અને ભાવેશભાઈ પરમારને હાથે પગે ફ્રેક્ચર જેવી ઇજા અને શરીરે પણ ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભાવેશભાઈએ હાલમાં રિક્ષાચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

હાર્ટ એટેકથી મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ રામકૃષ્ણનગરમા રહેતા લાલજીભાઈ કુંવરજીભાઇ કાલાણી (૯૦) ને ઘરે હાર્ટએટેક આવી જતાં તેનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને તેઓના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News