માળીયા (મી)ના કુંભારિયાથી લૂંટવદર ગામે ભાઈને લેવા માટે જતાં ભાઈને રસ્તમાં કાળનો ભેટો: બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હળવદના ટીકર ગામનો બનાવ: ઘરધાણી મીઠાની ખેતી કરવા ગયા અને તસ્કર ઘરમાંથી સોનાના દાગીના ચોરી કરીને 3.94 લાખનું ખાતર પાડી ગયો મોરબીમાં ત્રિકોણ બાગ પાસે દુકાને બેઠેલા યુવાનને અગાઉના ઝઘડાનો ખાર રાખીને ગાળો આપીને મારમાર્યો માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ


SHARE













મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ

મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે આવતા અરજદારો અને નગરજનો પાસેથી શાખા અધિકારીના અભિપ્રાય અને સહી માંગવામાં આવે છે તે યોગ્ય નથી તેવી મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતી લીગ સેલના પ્રમુખ દ્વારા કમિશ્નર અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતી લીગ સેલના પ્રમુખ ભાવિન ફેફર દ્વારા મહાપલિકાના કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મહાપાલીકામાં કોઈપણ વ્યકતી કમિશ્નરને મળવા માટે આવે છે ત્યારે જે સ્લીપ આપવામાં આવે છે તેમાં જે તે શાખા વિભાગનો અભિપ્રાય અને તેમની સહી સાથે આવવા માટે કહેવામા આવે છે. તો શું કમિશ્નર અભિપ્રાય કે ખાતાકીય અધિકારીની સહિ વગર મુલાકત આપતા નથી ?, વધુમાં રજૂઆતમાં જણાવ્યુ છે કે, મોરબીના લોકો ખાતાકીય રજુઆત હોય તે માટે જ મળવા માટે આવે સી હે ત્યારે જે તે ખાતાના અધિકારીની સહી અને અભિપ્રાય માંગવામાં આવે તે યોગ્ય નથી. જેથી મોરબીના લોકો તેમજ અરજદાર સીધા જ કમિશ્નરને મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે.






Latest News