મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ


SHARE

















મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ

મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે આવતા અરજદારો અને નગરજનો પાસેથી શાખા અધિકારીના અભિપ્રાય અને સહી માંગવામાં આવે છે તે યોગ્ય નથી તેવી મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતી લીગ સેલના પ્રમુખ દ્વારા કમિશ્નર અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતી લીગ સેલના પ્રમુખ ભાવિન ફેફર દ્વારા મહાપલિકાના કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મહાપાલીકામાં કોઈપણ વ્યકતી કમિશ્નરને મળવા માટે આવે છે ત્યારે જે સ્લીપ આપવામાં આવે છે તેમાં જે તે શાખા વિભાગનો અભિપ્રાય અને તેમની સહી સાથે આવવા માટે કહેવામા આવે છે. તો શું કમિશ્નર અભિપ્રાય કે ખાતાકીય અધિકારીની સહિ વગર મુલાકત આપતા નથી ?, વધુમાં રજૂઆતમાં જણાવ્યુ છે કે, મોરબીના લોકો ખાતાકીય રજુઆત હોય તે માટે જ મળવા માટે આવે સી હે ત્યારે જે તે ખાતાના અધિકારીની સહી અને અભિપ્રાય માંગવામાં આવે તે યોગ્ય નથી. જેથી મોરબીના લોકો તેમજ અરજદાર સીધા જ કમિશ્નરને મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે.




Latest News