મોરબીમાં બોગસ ડૉક્યુમેન્ટ આધારે સીમકાર્ડ વેચવાના ગુનામાં પકડાયેલ ૫ આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી મહાપાલિકામાંથી વિવિધ દાખલા કઢાવવા માટે ઝોન વાઈઝ કામગીરી શરૂ કરવા કોંગ્રેસની માંગ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને મોરબીમાં સિરામિક સહિતના એસો.ના આગેવાનોની બેઠક મળી મોરબીના નમો વનની વન-પર્યાવરણ મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી કાર્બન ઉત્સર્જન સામે મોરબીમાં ઉદ્યોગો મોટા પાયે વૃક્ષારોપણ કરે, પ્રશ્નોનો માત્ર નિકાલ નહીં પણ ઉકેલ લાવવા રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની અધિકારીઓને ટકોર મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ


SHARE











મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ

સામન્ય રીતે દીકરા દીકરીના કે પછી ઘરમાં કોઈના પણ જન્મ દિવસ નિમિતે ખોટા ખર્ચા કરવામાં આવતા હોય છે જો કે, ખોટા પૈસા બગાડવાના બદલે મોરબી નજીકના રવાપર ગામે હાલમાં રહેતા યુવાનને તેની દીકરીના પહેલા જન્મ દિવસ નિમિતે ગૌસેવાનું કામ કરીને જન્મ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે અને મોરબીના રવાપર ગામે 11,111 બાજરાના રોટલા બનાવીને જુદીજુદી ગૌશાળામાં ગાય માતાને ખવડાવવાનું આયોજન કર્યું છે.

ગૌ સેવા એજ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતાં મૂળ મોરબી તાલુકાનાં લાલપર ગામના રહેવાસી અને હાલમાં મોરબી રવાપર ગામે રહેતા જયકુમાર વાસુદેવભાઈ આદ્રોજાએ આગામી તા 15/2 ને રવિવારના રોજ મહાશિવરાત્રીના દિવસે દીકરીના પ્રથમ જન્મ દિવસ નિમિતે 11,111 રોટલા બનાવીને ગાય માતાને ખવડાવવાનું આયોજન કર્યું છે. ત્યારે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે જયકુમાર આદ્રોજા અને તેઓના પરિવારના સભ્યો દ્વારા જે પ્રયાસ કરવામાં આવેલ છે તે અન્ય લોકો માટે પણ પ્રેરણરૂપ બનશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

ઉલેખનીય છેકે, નાના બાળકોને નાનપણથી જેવુ બતાવવા કે શીખવવામાં આવે છે તેને જ તેઓ અનુસરે છે ત્યારે જયકુમાર આદ્રોજાએ તેના ઘરે એક વર્ષ પહેલા દીકરીનો જન્મ થયો હતો ત્યારે લક્ષ્મીજીને વધાવવા માટે મોરબીના રવાપર ગામે 51,111 બાજરાના રોટલા બનાવીને ગાય માતાને જુદીજુદી ગૌશાળામાં ખવડાવ્યા હતા અને હવે તેના પહેલા જન્મ દિવસે પણ બાજરાના 11,111 રોટલા બનાવીને ગૌ માતાની સેવા કરીને દીકરીના જન્મ દિવસની ઉજવણી કરીને ગાયોની સેવા કરવા માટેનો એક અલગ રાહ સમાજને ચીંધ્યો છે.






Latest News