મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂના ગુનામાં વધુ એકની ધરપકડ-જેલ હવાલે


SHARE











મોરબીમાં દારૂના ગુનામાં વધુ એકની ધરપકડ-જેલ હવાલે

મોરબીના જૂના નાગડાવાસ ગામે મોરબી એલસીબી તથા તાલુકા પોલીસ દ્વારા બે રેડ કરવામાં આવી હતી.જે પૈકી એલસીબી દ્વારા કરવામાં આવેલી રેડની ક્રોસ તપાસ ટંકારા પોલીસને સોંપવામાં આવી હતી.જે તે સમયે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ દારૂના કેસમાં વાહનના માલીકની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં નામ ખુલેલ હોય ગત તા.૮ ના રોજ ભાવેશ ઉર્ફે મુન્નો પરબતભાઈ ધ્રાંગા (૪૪) રહે.જુના નાગડાવાસ તા.જી.મોરબીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેના દોઢ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા અને તે રિમાન્ડ દરમિયાન પોલીસને એક મોબાઈલ નંબર મળ્યો હોય તેના ધારકની તપાસ ચાલુ છે.હાલ રિમાન્ડ પુરા થતા ભાવેશ પરબતભાઇ ઘ્રાંગાને જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું તપાસ અધિકારી પાસેથી જાણવા મળે છે.

મારામારીમાં ઈજા

મોરબીના રવાપર રોડ ઉપર ભવાની સોડા સામે આવેલ મોબાઈલ શોપ ખાતે બોલાચાલી ઝઘડો થયો હતો.જેમાં બે લોકો દ્વારા માથાના ભાગે માર મારવામાં આવતા રવિરાજસિંહ જયદીપસિંહ જાડેજા (ઉમર ૨૦) રહે.વિદ્યુતનગર સોસાયટી સામાકાંઠે મોરબી-૨ ને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવેલ.બનાવની પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા નોંધ કરીને મારામારીના કારણ અંગે તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના શોભેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ સોસાયટી વિસ્તારમાં રહેતા પ્રિયંકાબેન અમોદસિંહ નામની ૨૬ વર્ષીય મહિલા કોઈ અગમ્ય કારણસર ઓલઆઉટ લિક્વિડ પી ગયા હતા.જેથી તેમના પતિ દ્વારા તેઓને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેણીનો લગ્નગાળો છ વર્ષનો હોય અને સંતાનમાં બે બાળકો હોય બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

વૃદ્ધ સારવારમાં

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ ચોકડી બાજુથી ઘુટું બાજુ જતા સમયે ઉમા રેસીડેન્સી પાસે ટ્રાવેલ્સ બસ સાથે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં હર્ષદરાય રતિલાલ જાની (ઉંમર ૫૯) રહે.ઇન્દ્રપ્રસ્થ સોસાયટી સરદાર પટેલ સોસાયટી પાછળ ન્યુ દર્શન વિદ્યાલય નજીક રતનપર જી.સુરેન્દ્રનગરને ઇજા થતાં જે તે સમયે અત્રેની શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે જાણ કરવામાં આવેલી હોય તાલુકા પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણીયાએ તપાસ કરી હતી.તેમજ મોરબી રણછોડનગરમાં રહેતા વિવેકભાઈ સુરમાસીંગ નામના ૨૫ વર્ષના યુવાનને વીસીપરા નજીક મારામારીના બનાવમાં ઈજા થતા ૧૦૮ વડે સિવિલે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.જેથી બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી હતી.






Latest News