મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

મોરબીમા છાત્રાલય રોડે આવેલ શોપિંગ સેન્ટરમાં ફાયર સેફટીના અભાવે બે માળ સીલ કરાયા


SHARE









મોરબીમા છાત્રાલય રોડે આવેલ શોપિંગ સેન્ટરમાં ફાયર સેફટીના અભાવે બે માળ સીલ કરાયા

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ કન્યા છાત્રાલય રોડ ઉપર પાર્થ પ્લાઝા શોપિંગ સેન્ટર આવેલું છે અને તેમાં બીજા અને ત્રીજા માળ ઉપર ડોકટરની માલિકીની જગ્યા આવેલ છે અને આ શોપિંગ સેન્ટરને મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીના સાધનો વસાવા માટે નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં પણ બીજા અને ત્રીજા માળ ઉપર જે ડોક્ટરની માલિકી છે તેના દ્વારા કોઈ બાંહેધરી આપવામાં આવી ન હતી અને ફાયર સેફ્ટીના સાધનો મૂકવામાં આવ્યા ન હતા. જેથી કરીને આજે ફાયર વિભાગની ટીમ મોડી સાંજે પાર્થ પ્લાઝા શોપિંગ સેન્ટર ખાતે પહોંચી હતી અને બે માળને સીલ કરવામાં આવેલ છે

મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ જુદા જુદા વિસ્તારોમાં આવેલા બહુમાળી બાંધકામો અને શોપિંગ સેન્ટર વગેરે જગ્યા ઉપર ફાયર સેફ્ટીના સાધનો ન હોય તો મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા નોટિસો આપવામાં આવે છે અને જે એપાર્ટમેન્ટ કે કોમ્પલેક્ષની અંદર ફાયર સેફ્ટીના સાધનો ફીટ કરવામાં આવે ત્યાં આગળની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જોકે, ફાયર સેફ્ટીના સાધનો મૂકવામાં ન આવે અને ફાયર વિભાગની નોટીસની અવગણના કરવામાં આવે ત્યાં મિલકતો સીલ કરવા સુધીની કાર્યવાહી ફાયર વિભાગની ટીમ દ્વારા કરવામાં આવતી હોય છે તેવામાં આજે મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ પાર્થ પ્લાઝા શોપિંગ સેન્ટર ખાતે મોડી સાંજે ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને ત્યાં શોપિંગ સેન્ટરમાં બીજો અને ત્રીજો માળ ડો. નીતિન બુધ્ધદેવની માલિકીનો છે તેને હાલમાં સીલ કરવામાં આવેલ છે.

આ અંગે ફાયર વિભાગના અધિકારી જયેશભાઈ ડાકી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પાર્થ પ્લાઝા શોપિંગ સેન્ટરને અગાઉ ફાયર વિભાગ દ્વારા ક્રમશઃ ત્રણ નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ નીચેના માળ ઉપર જે 16 દુકાનો આવેલ છે તે દુકાનદારો દ્વારા ફાયર સેફ્ટીના સાધનો મુકવા માટે થઈને બાંહેધરી આપવામાં આવેલ છે જોકે, આ શોપિંગ સેન્ટરમાં બીજો અને ત્રીજો માળ ઉપર ડો. નીતિન બુધ્ધદેવની માલિકીનો છે જેને ચાણક્યપુરી તરીકે લોકો જાણે છે ત્યાં ફાયર સેફટી માટે થઈને તકેદારી લેવામાં આવી નથી અને ફાયર વિભાગ દ્વારા જે નોટિસ આપવામાં આવી હતી તેની અવગણના કરીને ફાયર સેફ્ટીના સાધનો મુકવા માટે કોઈપણ પ્રકારની બાંહેધરી આપવામાં આવી નથી જેથી કરીને હાલમાં ફાયર વિભાગની ટીમ દ્વારા પાર્થ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં બીજો અને ત્રીજો માળ સીલ કરવામાં આવેલ છે






Latest News