ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ડેમો તેમજ નર્મદાની કેનાલોમાંથી ઉનાળુ પાક માટે પાણી આપવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE







મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ડેમો તેમજ નર્મદાની કેનાલોમાંથી ઉનાળુ પાક માટે પાણી આપવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ડેમો તેમજ નર્મદાની કેનાલોમાંથી ઉનાળુ પાક માટે પાણી આપવામાં આવે તેવી આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી દ્વારા રાજયના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લા તેમજ સુરેન્દ્ર નગર જિલ્લામાં આવેલ ડેમોમાં પાણી ભરેલા છે.શિયાળુ પાક માટે અમુક ડેમોમાંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવેલ નથી.જેવા કે મચ્છુ-૨ , ડેમી ૨ , તેમજ અન્ય ડેમો કે જે પાણીથી ભરેલા છે.જો શિયાળુ પાક માટે પાણી આપવામાં આવેલ હોત તો ઘણા ખેડૂતો પોતાના ખેતર માં શિયાળુ પાક લઈ શક્યા હોત.મચ્છુ-૨ ડેમમાં પાણી હતું. અને નર્મદાની કેનાલ મોરબી બ્રાંચ દ્વારા તેમાં પાણી નાખવામાં આવેલ હતું જેથી  શિયાળા દરમિયાન એકવાર ડેમમાં વગર વરસાદે પાણી વધી જતા પાણી છોડવામાં આવેલ હતું જે પાણી દરિયામાં ગયું હતું. તેમ છતાં સ્થાનિક ઓફિસર તેમજ સિંચાઈ સલાહકાર સમિતિ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે પાણી સિંચાઈ માટે આપવામાં નહીં આવે. શું સરકાર એવું ઇચ્છી રહી છે કે પાણી ભલે દરિયામાં જાય પણ ખેડૂતો ને તો નહી જ આપીયે.? હાલમાં પણ મચ્છુ-૨ ડેમ તેમજ ડેમી-૨ માં પાણી ભરેલું છે.તેનો હાલમાં કોઈ ઉપયોગ નથી.વરાળ બનીને ઊડી જાય છે.અને જમીનમાં ઉતરી જાય છે.પણ ખેડૂતો માટે આપવામાં કોઈને રસ નથી.આવું શા માટે ?

નર્મદા ડેમમાં પણ પાણી છે.તેની કેનાલ માળિયા બ્રાંચ, ધ્રાંગધ્રા બ્રાંચ, અને મોરબી બ્રાંચમાં આજદિન સુધી ઉનાળુ પાક માટે પાણી આપવા માટે કોઈ આયોજન નથી! ઓફિસરને પૂછતા અમોને ખબર નથી તેવા જવાબો આપવામાં આવે છે.નર્મદા ડેમનું પાણી પણ ચોમાસામાં દરિયામાં જશે.તો શા માટે? ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવેલ નથી.? જો આ પાણી આપવામાં આવે તો ખેડૂતો ઉનાળુ પાક લઈ શકે તેમ છે. તેમને આર્થિક ફાયદો થશે અને રાષ્ટ્રને પણ ફાયદો થશે.પાણી દરિયામાં જાય તેના કરતા ખેડૂતોને આપો.જેથી ખેડૂતો ઉનાળુ પાકની નીપજ લઈ શકે.તેવી માંગ  આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવા (મોરબી) એ કરેલ છે.






Latest News