મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક રિટર્નના કેસમાં કોર્ટે કરેલ હુકમ સામે આરોપીએ કરેલી અપીલ રીજેકટ: સજાનો હુકમ કાયમ રાખતી સેશન્સ કોર્ટ


SHARE









મોરબીમાં ચેક રિટર્નના કેસમાં કોર્ટે કરેલ હુકમ સામે આરોપીએ કરેલી અપીલ રીજેકટ: સજાનો હુકમ કાયમ રાખતી સેશન્સ કોર્ટ

મોરબીની કોર્ટમાં ચેક રીર્ટનનો કેસ ચાલી ગયો હતો જેમાં મહેસાણાના વ્યક્તિને નીચેની કોર્ટે સજા કરી હતી જે હુકમને સેસન્સ કોર્ટે કાયમ રાખ્યો છે અને દિન ૧૫ માં સરન્ડર થાવાનો હુકમ કર્યો છે.

કેસની હકીકત એવી છે કે, ફરીયાદી જીગરકુમાર અતૃતલાલ દરજી તથા આરોપી રમેશભાઈ વાલજીભાઈ ચૌધરી બંને મહેસાણાના વતની હતા. અને બંન્ને વર્ષોથી સબંધ હતા. જેથી આરોપી રમેશભાઈએ ફરીયાદી જીગરભાઈ તથા તેના માતા પાસેથી વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૬ દરમ્યાન ટુકડે ટુકડે 20.50 લાખ હાથ ઉછીના લીધેલ હતા ત્યારબાદ સમય વીતતા ફરીયાદીને રકમની જરૂરીયાત પડતા ફરીયાદીએ આરોપી પાસેથી રકમની માંગણી કરતા જેથી આરોપીએ કહેલ કે અમો તમોને ટુકડે ટુકડે ચુકવી આપીશ તેવો વિશ્વાસ આપેલ હતો જેથી આ મુજબ ફરીયાદી તથા આરોપી વચ્ચે સમજૂતી કરાર થયેલ હતો અને તે કરાર મુજબ આરોપીએ ચાર ચેક ફરીયાદીને આપેલ હતા

તે ચેકો પૈકી એક ચેક ૪ લાખનો તા.૨૫/૬/૨૦૧૯ નો, એક ચેક ૩.૫૦ લાખ નો તા.૨૫/૧૨/૧૯ નો આપેલ હતા જે ફરીયાદી દ્વારા તેઓની બેંકમાં જમા કરાવતા ચેક વણચુકવ્યો પરત થતા ફરીયાદી જીગરભાઈ ચેક રીર્ટનનો કેસ ફો.કે.ન.૫૩૮૮/૧૯ અને ફો.કે.નં.૧૬૭૨/૨૦ કરેલ જે કેસ નીચેની કોર્ટમાં ચાલી જતા કોર્ટે એક કેસમાં અઢાર માસની સજા અને એક કેસમાં એક વર્ષની સજા તથા ડબલ રકમ અને ૯ ટકા વ્યાજ સહીત ભરપાઈ કરવાનો હુકમ કર્યો હતો.

આ હુકમની સામે આરોપી રમેશભાઈ ચૌધરીએ મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટ ફોજદારી અપીલ નં.૧૧૯/૨૫ અને ૧૨૯/૨૫ અપીલ દાખલ કરેલ હતી અને જે અપીલ ચાલી જતા મુળ ફરીયાદીની દલીલ તેમજ રજુ કરેલ દસ્તાવેજી પુરાવા તેમજ ચુકાદાઓ ધ્યાને લઈને આરોપીની અપીલ મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટ દ્વારા અપીલ રીજેકટ કરી સજાનો હુકમ કાયમ રાખેલ છે અને સજા ભોગવવા માટે દિન-૧૫ માં આરોપીને નામદાર નીચેની કોર્ટમાં સરન્ડર થવાનો હુકમ કરેલ છે આ બંન્ને અપીલ કેસમાં મુળ ફરીયાદી જીગરભાઈ દરજી તરફે મોરબીના વકીલ મયુર પી.પુજારા રોકાયેલ હતા.






Latest News