રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબી મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે રાશનકાર્ડ ઈ-કેવાયસી સેવા શરૂ


SHARE









મોરબી મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે રાશનકાર્ડ ઈ-કેવાયસી સેવા શરૂ

ગુજરાતમાં ઘણાં બધા રાશનકાર્ડ ધારકોના ઈ-કેવાયસી બાકી હોય અને આ કામગીરી 31 માર્ચ પહેલા પૂર્ણ કરવા છે જેથી કરીને પોસ્ટ વિભાગને પણ આ કામગીરી સોંપવામાં આવેલ છે જેથી કરીને આ સેવા મોરબી પોસ્ટ ઓફિસે ખાતે શરૂ કરવામાં આવેલ છે.

આ કામગીરીના ભાગરૂપે મોરબી મુખ્ય પોસ્ટ ઓફીસમાં હવે નાગરીકોના પોતાના રાશનકાર્ડના ઈ-કેવાયસી કરાવી શકાશે. જેથી મોરબીના લોકો કે જેઓના રાશનકાર્ડ ઈ-કેવાયસી બાકી છે તેઓ મોરબી મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી આવીને રૂબરૂ આવી ઈ-કેવાયસી કરાવી શકશે. આ ઈ-કેવાયસી સેવા તદ્દન નિશુલ્ક છે અને નાગરિકને કોઈપણ ચાર્જ આપવાનો થતો નથી. અને રેશનકાર્ડ ઈ-કેવાયસી કરવા માટે પોતાનું રેશનકાર્ડ તેમજ આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે જે મોબાઈલ લીંક હોય તે મોબાઈલ લઈને આવવાનો રહેશે. જેથી આ સેવાનો વધુમાં વધુ લોકોને લાભ લેવા માટે પોસ્ટ વિભાગના અધિકારી પરાગ વસંતએ જણાવ્યુ છે.






Latest News