મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા દ્વારકા જતા પદયાત્રીઓને ફ્રુટ-ઠંડાપીણાનું વિતરણ
મોરબી જીલ્લામાં યોજાયેલ લોક અદાલતોમાં ૫૩૦૮ કેસનો નિકાલ કરાયો
SHARE






મોરબી જીલ્લામાં યોજાયેલ લોક અદાલતોમાં ૫૩૦૮ કેસનો નિકાલ કરાયો
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન ડી.પી.મહીડા તથા સચિવ ડી.એ. પારેખના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા ન્યાયાલય તથા તાબા હેઠળ આવેલ વાંકાનેર, હળવદ, ટંકારા અને માળિયા (મી.) ખાતે લોક અદાલત યોજાઇ હતી. જેમાં કુલ મળીને ૫૩૦૮ કેસનો નિકાલ કરવામાં આવેલ છે.
લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ના કેસો, લગ્ન સંબંધી ફેમીલી કેસો, મહેસુલ કેસો, ભરણપોષણના કેસો, એલ.એ.આર કેસો, હિંદુ લગ્નધારો, મજુર અદાલતના કેસો, ટ્રાફિક ઈ ચલણને લગતા પ્રી-લીટીગેશનના કેસો, દિવાની દાવા જેવા કે ભાડાના, બેંકના વિગેરે વીજળી તથા પાણીના (ચોરી સિવાયના) કેસો, મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ અંતર્ગત અકસ્માતને લગતા કેસો સમાધાન માટે મુકવામાં આવ્યા હતા
લોક અદાલતમાં પેન્ડીંગ કેસોમાંથી કુલ ૫૯૮૭ કેસોમાંથી ૩૨૫૬ કેસોનો નિકાલ થયેલ છે. જેથી કરીને ૧૦ કરોડની રકમનું સમાધાન થયેલ છે, જીલ્લાના કુલ ૪૭૫૨ પ્રી-લીટીગેશનના કેસોમાંથી ૧૧૯૧ કેસોમાં ૧. ૧૪ કરોડની રકમનું સમાધાન થયું હતું તેમજ ઈ ચલણના કુલ ૮૬૧ કેસો પુરા થતા આશરે ૫ લાખ જેટલી વસુલાત કરવામાં આવી હતી.
વાંકાનેર તાલુકાના રાજવી પરિવાર રણજીતસિંહ તથા સ્વ. દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલાના વારસદારો વચ્ચે આશરે ૧૭ વર્ષ જુના સ્થાવર તથા જંગમ મિલકતના વિખવાદને લગતા દીવાની તકરારનો રાજવી પરિવારના સભ્યો વચ્ચે તેઓના વિદ્વાન વકીલના સહયોગથી સુખદ સમાધાન થતા રાજવી પરિવાર દ્વારા હર્ષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.


