ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

હળવદના ઇસનપુર ગામે થ્રેસર ઉપર ચડેલા યુવાનને ઇલેક્ટ્રીક શોર્ટ લગતા મોત


SHARE













હળવદના ઇસનપુર ગામે થ્રેસર ઉપર ચડેલા યુવાનને ઇલેક્ટ્રીક શોર્ટ લગતા મોત

હળવદ તાલુકાના ઇસનપુર ગામે વાડીએ થ્રેસર ઉપર ચડીને યુવાન કામ કરતો હતો ત્યારે યુવાન વીજ વાયરને અડી જતાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામના રહેવાસી પ્રકાશભાઈ દેવજીભાઈ ચાવડા (29) નામનો યુવાન હળવદ તાલુકાના ઇસનપુર ગામે ધીરજભાઈ પોપટભાઈ પરમારની વાડીએ હતો અને ત્યાં થ્રેસર ઉપર ચડીને કામ કરી રહ્યો હતો દરમિયાન કોઈપણ કારણોસર વીજ વાયરને અડી જવાના કારણે તે યુવાને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તે યુવાનના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યાલય હાથ ધરી હતી

મારા મારીમાં ઇજા

મૂળ રાજસ્થાનના જોધપુરના રહેવાસી હડમાનરામ ઘોઘારામ (40) નામના યુવાનને મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ નજીક કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં તેને ઈજા થહોવાથી યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

મોરબીમાં કુબેરનાથ રોડ ઉપર આવેલ મેમણ શેરી પાસે રહેતા ભારતીબેન ચૌહાણ (44) નામના મહિલા કુબેરનાથ મંદિર વાળી શેરીમાં બાઈક ઉપરથી કોઈ કારણસર પડી ગયા હતા જેથી તેઓને ઈજા થહતી અને ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી








Latest News