લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

હળવદના ઇસનપુર ગામે થ્રેસર ઉપર ચડેલા યુવાનને ઇલેક્ટ્રીક શોર્ટ લગતા મોત


SHARE

















હળવદના ઇસનપુર ગામે થ્રેસર ઉપર ચડેલા યુવાનને ઇલેક્ટ્રીક શોર્ટ લગતા મોત

હળવદ તાલુકાના ઇસનપુર ગામે વાડીએ થ્રેસર ઉપર ચડીને યુવાન કામ કરતો હતો ત્યારે યુવાન વીજ વાયરને અડી જતાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામના રહેવાસી પ્રકાશભાઈ દેવજીભાઈ ચાવડા (29) નામનો યુવાન હળવદ તાલુકાના ઇસનપુર ગામે ધીરજભાઈ પોપટભાઈ પરમારની વાડીએ હતો અને ત્યાં થ્રેસર ઉપર ચડીને કામ કરી રહ્યો હતો દરમિયાન કોઈપણ કારણોસર વીજ વાયરને અડી જવાના કારણે તે યુવાને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તે યુવાનના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યાલય હાથ ધરી હતી

મારા મારીમાં ઇજા

મૂળ રાજસ્થાનના જોધપુરના રહેવાસી હડમાનરામ ઘોઘારામ (40) નામના યુવાનને મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ નજીક કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં તેને ઈજા થહોવાથી યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

મોરબીમાં કુબેરનાથ રોડ ઉપર આવેલ મેમણ શેરી પાસે રહેતા ભારતીબેન ચૌહાણ (44) નામના મહિલા કુબેરનાથ મંદિર વાળી શેરીમાં બાઈક ઉપરથી કોઈ કારણસર પડી ગયા હતા જેથી તેઓને ઈજા થહતી અને ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News