મોરબીથી મિત્રને મળવા માટે જતાં મિત્રોને કાળનો ભેટો: જેતપર-રાપર ગામ વચ્ચે ક્રેટ કાર તલાવડામાં ખાબકતા બે યુવાનના મોત મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે નવનિયુક્ત હોદ્દેદારોનું કરાયું સન્માન મોરબી મહાનગરપાલિકામાં બનશે 4.42 કરોડના ખર્ચે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેની અધ્યતન ઓફિસ મોરબીમાં અનેક ગુનામાં સંડોવાયેલ બી.કે.બોરીચાનું સરઘસ કાઢતી પોલીસ, ઘરમાંથી મળી આવેલા ડોક્યુમેન્ટ બાબતે ઊંડાણપૂર્વની તપાસ ચાલુ: DYSP મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા મહોત્સવ અંતર્ગત કવિસંમેલન યોજાયું વાંકાનેરમાં બહેન રિસામણે બેઠેલ હોય સમાધાન માટે ગયેલ યુવાનને વેવાઈ-વેવાણે મારમાર્યો ટંકારા નજીક રિક્ષા રેલિંગ સાથે અથડાઈને પલટી મારી જતાં બે સગાભાઈઓને ઇજા: રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 15 પાડા ભરેલી બોલેરો ગૌરક્ષકોએ પકડી: પાયલોટિંગ સાથે અબોલજીવને કતલખાને લઈ જતાં હોવાનું ખૂલ્યું
Breaking news
Morbi Today

વિશ્વ નવકાર મહામંત્ર દિવસે રાજકોટમાં જૈન સમાજે રચ્યો ઇતિહાસ


SHARE













વિશ્વ નવકાર મહામંત્ર દિવસે રાજકોટમાં જૈન સમાજે રચ્યો ઇતિહાસ

રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે જૈન સમાજ દ્વારા એક અદભૂત અને ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારો જૈન શ્રાવકોએ એક સાથે નવકાર મહામંત્રના જાપ કરી વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ કાર્યક્રમનો શુભારંભ દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યો હતો, જેમણે જૈન સમાજના આ પ્રયાસને બિરદાવ્યો અને વિશ્વ કલ્યાણના સંકલ્પને જન-જન સુધી પહોંચાડવા શુભેચ્છાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમમાં રાજકોટમાં હેમુ ગઢવી હોલ ખાતે હજારો જૈનો ઉમટી પડ્યા હતા. 'વિશ્વ નવકાર મહામંત્ર દિવસ'ના આયોજનનો મુખ્ય ઉદ્દેશ વિશ્વ કલ્યાણ અને અહિંસાનો સંદેશ ફેલાવવાનો હતો. નવકાર મહામંત્રના પઠન દ્વારા જૈન સમાજે એકતા, આધ્યાત્મિક શુદ્ધિ અને સમગ્ર જીવો પ્રત્યે સ્નેહનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ મંત્રનો મૂળ સંદેશ અહિંસા અને આદરનો છે, જે ઘણા ધર્મોના મૂળ સિદ્ધાંતો સાથે સામ્ય ધરાવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, "ભારતની ઓળખાણમાં જૈન ધર્મની પ્રતિભા અણમોલ છે. નવા સંસદ ભવનમાં પણ જૈન ધર્મનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે." તેમણે વિશ્વના ૧૦૮થી વધુ દેશોમાં આ સંદેશ પહોંચાડવાના JITO (જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન)ના પ્રયાસોની પ્રશંસા કરી અને જય જિનેન્દ્ર'ના નારા સાથે પોતાનું ભાષણ પૂર્ણ કર્યું હતું.

આ કાર્યક્રમના સંદર્ભમાં રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લઈને રાજ્યના તમામ કતલખાનાઓ બંધ રાખવાનો આદેશ જારી કર્યો હતો. રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ પણ આ અંગે જાહેરનામું બહાર પાડીને શહેરમાં કતલખાનાઓ બંધ રાખવાની સૂચના આપી હતી.

આ ઐતિહાસિક કાર્યક્રમ JITO રાજકોટ અને જૈન સમાજના સંયુક્ત પ્રયાસોથી સફળ બન્યો. આ આયોજનને સફળ બનાવવામાં JITO ચેરમેન હેમલભાઈ શાહ, નવકાર પ્રોજેક્ટ કન્વીનર કિશોરભાઈ દોશી, હિમાશુભાઈ મહેતા, શૈલેષભાઈ બદાણી, અમીશ મહેતા અને JBN પ્રમુખ રાજેશ લાઠીયાએ અથાક મહેનત કરી હતી. આ કાર્યક્રમે નવકાર મહામંત્રના જાપ દ્વારા એક અદભૂત ક્ષણ સર્જી, વિશ્વ કલ્યાણ અને આધ્યાત્મિક વિકાસનો માર્ગ ખોલ્યો છે.








Latest News