મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા મહોત્સવ અંતર્ગત કવિસંમેલન યોજાયું


SHARE











મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા મહોત્સવ અંતર્ગત કવિસંમેલન યોજાયું

મોરબીમાં ગુજરાત ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શેઠ પી.જી.પટેલ કોલેજ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને પી.જી. પટેલ કૉલેજના સંયુક્ત ઉપક્રમે ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજા અને જતીનભાઈ આદ્રોજાની પ્રેરણાથી માતૃભાષા મહોત્સવ ૨૦૨૬ અંતર્ગત કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં આવેલા મહેમાનોનું કૉલેજના આચાર્ય ડૉ. રવિન્દ્ર ભટ્ટ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કાર્યક્રમના પ્રેરક અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના અધ્યક્ષ ડો. ભાગ્યેશ જહાનો ઓડિયો શુભેચ્છા સંદેશ સાંભળી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત કવિ રામ વારોતરિયા અને કવિ જનાર્દન દવેએ પોતાની સુંદર રચનાઓ વિશિષ્ટ અભિવ્યક્તિ સાથે રસાસ્વાદ કરાવી હતી. અને પોતાની કાવ્યરચનાઓ દ્વારા માતૃભાષાનું મહિમાગાન કર્યું હતું. આ કાર્યક્રમમાં સાહિત્યપ્રેમીઓ, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થિઓએ ઉત્સાહભેર આવ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં કોલેજના આચાર્ય રવિન્દ્ર ભટ્ટ, સંયોજક પૂનમ ફેફર તેમજ સમગ્ર સ્ટાફ મેમ્બર્સ અને વિદ્યાર્થિઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News