મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર મોરબીમાં એક કે બે નહીં 6 ખાનગી મેળા: મહાપાલિકાએ લોકમેળાનું આયોજન કેમ ના કર્યું તે પ્રશ્ન ? મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૩ સપ્ટેમ્બરે યોજાશે મોરબી આર.ટી.ઓ. કચેરી દ્વારા ટુ, ફોર-વ્હિલર તથા ટ્રાન્સપોર્ટ વાહનોના પસંદગીના નંબર માટે કરાશે ઓનલાઇન હરાજી મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન: 20 સ્થળે કરશે મટકી ફોડ મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પદે જાગૃતિબેન ગઢિયાની વરણી મોરબીમાં સર્પનો સંકેત આપતું મોરપીચ્છ જોવા મળ્યું
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રેફ્રિજેટરની રીપેરીંગની દુકાનમાં ગેસના બાટલામાં બ્લાસ્ટ બાદ આગ ભભુકી, દોઢ કલાકે ફાયરની ટીમ ન પહોંચી !


SHARE





વાંકાનેરમાં સ્ટેચ્યુ સર્કલ પાસે આવેલ ગેસ રીપેરીંગની દુકાનમાં મોડીરાત્રીના સમયે કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બનેલ છે અને આગ લાગતાની સાથે જ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી પરંતુ દોઢ કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ સુધી ઘટના સ્થળે ફાયરની ટીમ પહોંચી ન હતી અને દુકાનમાં રહેલ સંપૂર્ણ માલ સામાન બળીને ખાખ થઈ ગયેલ છે

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામ પાસે આજે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં જીનીંગ મીલમાં આગ લાગવાની ઘટના બની હતી અને ત્યારે જિનિંગ મિલના ગ્રાઉન્ડમાં પડેલ કપાસનો મોટો જથ્થો આગમાં બળીને ખાખ થઈ ગયો છે ત્યારબાદ મોડી રાતના સમયે વાંકાનેર શહેરમાં આવેલ સ્ટેચ્યુ સર્કલ પાસે વોરાના હજીરાની સામેના ભાગમાં રેફ્રિજરેટરના રીપેરીંગની દુકાનમાં કોઈ કારણોસર બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ આગ લાગવાની ઘટના બની હતી અને આગ લાગવાની આ ઘટનામાં દુકાન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયેલ છે ઉલ્લેખનીય છે કે, આગ લાગવાની ઘટનાની જાણ થતાની સાથે જ તાત્કાલિક વાકાનેર નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી પરંતુ દોઢ કલાક જેટલો સમય વીતી ગયો ત્યાં સુધી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ન હતી જેથી કરીને દુકાનદારની દુકાન આગની ઝપેટમાં આવી જતા આખી દુકાન બળીને ખાખ થઈ ગઈ છે. જો કે, સદ્નસીબે દુકાન બંધ હતી ત્યારે ઘટના બનેલ હોવાથી કોઈ જાનહાની થયેલ નથી.




Latest News