મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની હોટલ-રેસ્ટોરન્ટમાંથી અખાદ્ય કલર-વાસી ખોરાકનો નાશ કરતી મનપાની ફુડ શાખા


SHARE











મોરબીની હોટલ-રેસ્ટોરન્ટમાંથી અખાદ્ય કલર-વાસી ખોરાકનો નાશ કરતી મનપાની ફુડ શાખા

મોરબી મહાપાલિકાની ફુડ શાખાએ  શહેરના હોટલ- રેસ્ટોરન્ટ બેકરીમાં ખાદ્ય પદાર્થનું નિરીક્ષણ કર્યું હતું, જે દરમિયાન લાયસન્સ સ્વચ્છતા, અખાદ્ય કલર, વાસી ખોરાક, એક્સપાયરી ડેટ વાળા ખાધ પદાર્થો મળી આવતા સ્થળ પર જ ફૂડ શાખાએ નાશ કર્યો હતો. અને ફૂડ લાઇસન્સનું રજીસ્ટ્રેશન ન કરનાર વેપારી તથા વધુ પડતી બેદરકારી રાખનાર 32 ખાણી-પીણીના ધંધાર્થીને મોરબી મહાપાલિકાની ફૂડ શાખાએ નોટિસ પાઠવી હતી.

મોરબી મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા શહેરમાં હોટલ- રેસ્ટોરન્ટ, બેકરી, ડેરી, મીઠાઇના વેપારી વગેરે જગ્યા પર ખાધ પદાર્થનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, આ સપ્તાહ દરમિયાન મોરબી મહાપાલિકાના ફૂડ શેફટી ઇન્સ્પેકટર દ્વારા શહેરના કુલ 56 ખાધ પદાર્થનું વેચાણ કરતાં વિક્રેતાને ત્યાં વિઝિટ કરવામાં આવી હતી,  જેમાં રવાપર રોડ, લાલબાગ, ગાંધીચીક નાસ્તાગલી, સહિતની સ્ટ્રીટફૂડના વિક્રેતાને ત્યાં ખાધ પદાર્થનું નિરીક્ષણ, સ્વછતા, વાસીખોરાક, એક્સપાયરી ડેટ વાળા ફૂડ પેકેટ, અખાદ્ય કલર, ફૂડ લાઇસન્સ સહિતની બાબતો ધ્યાન પર આવતા અખાદ્ય ખોરાક અને કલરનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો, તેમજ સ્વછતા અને ફૂડ લાઇસન્સ સહિતના મુદે 32 જેટલા ખાણી-પીણીના ધંધાર્થીને નોટિસ આપવામાં આવી હતી.

જો કે, જે.કે. હોટલમાં વધુ પડતો અખાદ્ય કલરનો ઉપયોગ થતો હોય તેનો ફૂડ સેફટી ઇન્સપેક્ટરે સ્થળ પર જ નાશ કર્યો હતો, રવાપર રોડ પર આવેલ શિવ પાંવભાજીમાંથી વાસીખોરાકનો જથ્થો મળી આવતા સ્થળ પર જ નાશ કરાયો હતો, તેમજ રવાપર રોડ પર આવેલ વિરાટ પાંઉભાજી તથા ગુરુકૃપા પાંઉભાજીમાંથી વધુ પડતો અખાધ કલર જોવા મળતા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો, રવાપર રોડ પર આવેલ ભવાની સ્વીટમાંથી એક્સપાયરી ડેટ વાળા ખાધ પદાર્થ મળી આવતા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આગામી સમયમાં મોરબી મહાપાલિકાની ફૂડ શાખાની ચેકિંગ કામગીરી વધુ સઘન બનાવવામાં આવશે આથી ખાણીપીણીના ધંધાર્થીઓને તાકીદ કરવામાં આવે છે.






Latest News