મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીથી મિત્રને મળવા માટે જતાં મિત્રોને કાળનો ભેટો: જેતપર-રાપર ગામ વચ્ચે ક્રેટ કાર તલાવડામાં ખાબકતા બે યુવાનના મોત


SHARE











મોરબીથી મિત્રને મળવા માટે જતાં મિત્રોને કાળનો ભેટો: જેતપર-રાપર ગામ વચ્ચે ક્રેટ કાર તલાવડામાં ખાબકતા બે યુવાનના મોત

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા બે યુવાનો ક્રેટા ગાડી લઈને જેતપર રાપર ગામ વચ્ચે કારખાનું ધરાવતા તેના મિત્રને મળવા માટે થઈને જઈ રહ્યા હતા દરમિયાન ત્યાં રસ્તામાં રોડ સાઇડમાં આવેલ તલાવડામાં ક્રેટા ગાડી ખાબકી હતી જેથી કરીને ક્રેટા ગાડીમાં બેઠેલા બે યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા ત્યારબાદ તેના મૃતદેહને જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે રહેતા નિલેશભાઈ પ્રાણજીવનભાઈ કાનાણી (34) અને ભીખાભાઈ નીતિનભાઈ તલસાણીયા (30) નામના બે યુવાનો ક્રેટા ગાડી નંબર જીજે 36 એફ 6095 લઈને જેતપર રાપર ગામ વચ્ચેથી જઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે કારના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા કાર રોડ સાઈડમાં આવેલ પાણી ભરેલા તલાવડામાં ખાબકી હતી જેથી સ્થાનિક લોકો તાત્કાલિક ત્યાં સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને 108 ને બોલાવવામાં આવી હતી ત્યાર બાદ બંને યુવાનોને જેતપર ગામે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા ત્યાં ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં બનાવ ની પ્રાથમિક તપાસ કરનાર વિજયભાઈ મિયાત્રા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મૃતક નિલેશભાઈને મહેન્દ્રનગર ગામ પાસે કલરની દુકાન છે અને નિલેશભાઈ તેમજ ભીખાભાઈ મોરબીના મહેન્દ્રનગર ગામેથી રાપર ગામ પાસે તેમના મિત્રનું કારખાનું આવેલું છે ત્યાં તેને મળવા માટે થઈને જઈ રહ્યા હતા દરમિયાન રસ્તામાં અકસ્માતનો આ બનાવ બન્યો હતો જેમાં કારમાં બેઠેલા બંને યુવાનોના મોત નીપજ્યા છે






Latest News