મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતની સરકારી શાળાઓને પ્રોત્સાહન આપવા માટે સીએમને રજૂઆત


SHARE













મોરબી સહિત ગુજરાતની સરકારી શાળાઓને પ્રોત્સાહન આપવા માટે સીએમને રજૂઆત

સરકારી પ્રાથમિક સ્કૂલો બંધ થાય તેવા નિર્ણયમાં ફેર વિચારણા કરી સરકારી સ્કુલના વિદ્યાર્થીઓને થતો  અન્યાય દુર  કરવાની માંગ કરેલ છે અને વિધાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવે તેવી રજૂઆત મોરબીમાં રહેતા રાજીવ ગાંધી પંચાયતી રાજ પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમને કરેલ છે.

હાલમાં કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, સરકાર દ્વારા CET ની પરિક્ષા લેવામાં આવેલ છે. અને આ પરિક્ષામાં સારા મેરીટ મેળવનારા વિધાર્થી ઓને શિષ્યવૃતિ આપવાના જે ધારા ધોરણો સરકાર દ્વારા નક્કી  કરવામાં આવેલ છે. તે જોતા એવું જરૂર લાગી રહ્યું છે કે સરકાર સરકારી સ્કૂલો બંધ થાય તેવું ઈચ્છી રહી છે. અને પ્રાઇવેટ સ્કૂલોને પ્રોત્સાહન મળે તેવું કરી રહી છે. જે માહિતી સામે આવેલ હતી તે મુજબ જે કોઈ વિધાર્થી સારા મેરીટ સાથે પાસ થાય અને તે સરકારી સ્કુલમાં અભ્યાસ કરે તો તેને ૫૦૦૦ ની શિષ્ય વૃતિ આપવામાં આવશે. અને જો તે વિધાર્થી પ્રાઇવેટ સ્કુલ માં દાખલ થાય તો તેને ૨૦,૦૦૦ શિષ્ય વૃતિ મળશે. આ તો ખરેખર સરકારી સ્કુલનો મૃત્ય ઘંટ વગાડવાનો નિર્ણય છે. છેલ્લા વર્ષોમાં ઘણી સરકારી સરકારી સ્કૂલો બંધ થયેલ છે. અને સરકારના આવા નિર્ણયથી હજુ વધારે સરકારી સ્કૂલે બંધ થશે તે નિશ્ચિત છે. જેથી સરકારી શાળાને પ્રોત્સાહન આપવા માટે સરકારી સ્કુલમાં અભ્યાસ કરે તેને ૨૦,૦૦૦ અને પ્રાઇવેટ સ્કુલ અભ્યાસ કરે તેને  ૫૦૦૦ શિષ્ય વૃતિ આપવાની માંગણી કરેલ છે.






Latest News