મોરબીના બંધુનગર ગામેથી કહ્યા વગર પરણીતા ગુમ વાંકાનેરના મેસરિયાથી ભલગામડા જતા રસ્તા ઉપર જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીનો 100 ટકા વિકાસ પૂર્ણ થઈ ગયો છે !, મેયરે ઓગસ્ટ માહિનામાં સામાન્ય સભાની બેઠક કેમ ન બોલાવી ?: કોર્પોરેટરોમાં ગણગણાટ મોરબીનાં બોની પાર્કમાં છાતીમાં દુ:ખાવો થયા બાદ મહિલાનું મોત મોરબીના ટીંબડી ગામે આંગણવાડીમાં જન્માષ્ટમી ઉજવાઇ મોરબી જિલ્લામાં અનાથ બાળકો માટે સરકારની વિવિધ સહાય યોજનાઓ બની આશીર્વાદ ​​​​​​​મોરબી જિલ્લામાં ખેલ મહાકુંભ-૨૦૨૬ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનનો પ્રારંભ વાંકાનેર શહેરના એનડીપીએસના ગુનામાં આરોપી ઝડપાયો
Morbi Today

મોરબી સહિત ગુજરાતની સરકારી શાળાઓને પ્રોત્સાહન આપવા માટે સીએમને રજૂઆત


SHARE





મોરબી સહિત ગુજરાતની સરકારી શાળાઓને પ્રોત્સાહન આપવા માટે સીએમને રજૂઆત

સરકારી પ્રાથમિક સ્કૂલો બંધ થાય તેવા નિર્ણયમાં ફેર વિચારણા કરી સરકારી સ્કુલના વિદ્યાર્થીઓને થતો  અન્યાય દુર  કરવાની માંગ કરેલ છે અને વિધાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવે તેવી રજૂઆત મોરબીમાં રહેતા રાજીવ ગાંધી પંચાયતી રાજ પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમને કરેલ છે.

હાલમાં કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, સરકાર દ્વારા CET ની પરિક્ષા લેવામાં આવેલ છે. અને આ પરિક્ષામાં સારા મેરીટ મેળવનારા વિધાર્થી ઓને શિષ્યવૃતિ આપવાના જે ધારા ધોરણો સરકાર દ્વારા નક્કી  કરવામાં આવેલ છે. તે જોતા એવું જરૂર લાગી રહ્યું છે કે સરકાર સરકારી સ્કૂલો બંધ થાય તેવું ઈચ્છી રહી છે. અને પ્રાઇવેટ સ્કૂલોને પ્રોત્સાહન મળે તેવું કરી રહી છે. જે માહિતી સામે આવેલ હતી તે મુજબ જે કોઈ વિધાર્થી સારા મેરીટ સાથે પાસ થાય અને તે સરકારી સ્કુલમાં અભ્યાસ કરે તો તેને ૫૦૦૦ ની શિષ્ય વૃતિ આપવામાં આવશે. અને જો તે વિધાર્થી પ્રાઇવેટ સ્કુલ માં દાખલ થાય તો તેને ૨૦,૦૦૦ શિષ્ય વૃતિ મળશે. આ તો ખરેખર સરકારી સ્કુલનો મૃત્ય ઘંટ વગાડવાનો નિર્ણય છે. છેલ્લા વર્ષોમાં ઘણી સરકારી સરકારી સ્કૂલો બંધ થયેલ છે. અને સરકારના આવા નિર્ણયથી હજુ વધારે સરકારી સ્કૂલે બંધ થશે તે નિશ્ચિત છે. જેથી સરકારી શાળાને પ્રોત્સાહન આપવા માટે સરકારી સ્કુલમાં અભ્યાસ કરે તેને ૨૦,૦૦૦ અને પ્રાઇવેટ સ્કુલ અભ્યાસ કરે તેને  ૫૦૦૦ શિષ્ય વૃતિ આપવાની માંગણી કરેલ છે.




Latest News