ઇકોમાં ચોરખાના બનાવીને દારૂની હેરાફેરી!: મોરબી નજીકથી 493 બોટલ દારૂ સહિત 5.28 લાખના મુદામાલ સાથે એક પકડાયો, બે ની શોધખોળ મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્રનો શનિવારથી શુભારંભ મોરબીમાં નંદીઘરના સંચાલન માટે 5 કોર્ટપોરેટરનો સમાવેશ કરીને બનાવવામાં આવી કાર્યકારી મોનિટરિંગ ટીમ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ છાત્રો કી ગુંજ કાર્યક્રમ અંતર્ગત સહી ઝુંબેશ અમદાવાદ ખાતે યોજાયેલ રાઇફલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં મોરબીના દીપ પટેલે મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીમાં યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબીમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને કારકિર્દી સેમિનાર યોજાશે સરકારના નવો પરિપત્ર જ મંજૂર નથી તો MRC કમિટીમાં રહેવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી: મોરબીના જેતપર ગામના ખેડૂતો
Breaking news
Morbi Today

મોરબીમાં ટાઉન હૉલ પાસે પાસે મહારાજા શ્રી મહેન્દ્રસિંહજી ટાઉન હોલ સાઇન બોર્ડ મૂકવાની માંગ


SHARE







મોરબીમાં ટાઉન હૉલ પાસે પાસે મહારાજા શ્રી મહેન્દ્રસિંહજી ટાઉન હોલ સાઇન બોર્ડ મૂકવાની માંગ

મોરબીના મહારાજા શ્રી મહેન્દ્રસિંહજી ટાઉન હોલ તરફ જવા માટેના બંને રસ્તા ઉપર તે નામનું સાઈન બોર્ડ હતું જો કે, હાલમાં મહાપાલિકા બનેલ છે ત્યારથી એક પ્રવેશદ્વાર ઉપરથી તે સાઈન બોર્ડ હટાવી દેવામાં આવેલ છે જો કે, બીજા પ્રવેશ દ્વારા ઉપર મહારાજા શ્રી મહેન્દ્રસિંહજી ટાઉન હોલ સાઈન બોર્ડ મૂકવામાં આવે તેવી કમિશનરને શ્રી રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે.

રાષ્ટ્ર સ્વતંત્ર થયું ત્યારે પૂર્વ મોરબી મહારાજા સ્વ. શ્રી લખધીરસિંહજી બાપુએ અનેકવિધ સ્ટેટની ઈમારતો અને બિલ્ડીંગને ભારત સરકારને પ્રજાની સુખાકારી માટે અર્પણ કરી હતી. તેમાંનું એક ભવ્ય બિલ્ડીંગ "મહારાજા શ્રી મહેન્દ્રસિંહજી ટાઉન હોલ" છે. જેમાં સમગ્ર મોરબી ગુજરાત અને રાષ્ટ્રની સંસ્થાઓ સાંસ્કૃતિ-શૈક્ષણિક જનજાગૃતિ કાર્યક્રમ કરે છે. તત્કાલીન મહારાજાએ જયારે મહેન્દ્રસિંહજી ટાઉન હોલના બંને પ્રવેશદ્વારો ઉપર "મહારાજા શ્રી મહેન્દ્રસિંહજી ટાઉન હોલ" એ નામના સાઈન બોર્ડ હતા જે મોરબીની પ્રજા જાણે છે. જો કે, મોરબી મહાનગરપાલીકા બનીએ ખરેખર વિકાસના રસ્તા ઉપરનું એક સીમાચિહ્ન છે.

સાથોસાથ મોરબીને પેરિસનું બિરુદ અપાવનાર મોરબી રાજપરિવારે અર્પણ કરેલ હેરીટેજ વારસા સમાન મહારાજા મહેન્દ્રસિંહજી ટાઉનહોલનું સાઈન બોર્ડ જ ન હોય તો એ ખરેખર તો પ્રજાવત્સલ રાજપરિવારની ઉપેક્ષા સમાન છે જેથી મોરબી મહાપાલિક કચેરી પાસે જે બીજો પ્રવેશદ્વાર આવેલ છે ત્યાં "મહારાજા શ્રી મહેન્દ્રસિંહજી ટાઉન હોલ" એવા નામકરણનું સાઈન બોર્ડ પુનઃ લગાવવામાં આવે તેવી માંગ શ્રી રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ મોરબીના પ્રમુખ કનકસિંહ ડી. જાડેજાએ કરેલ છે અને તેના માટે કાર્યવાહી કરીને જરૂરી હુકમ કરવામાં આવે તેવી લાગણી પણ વ્યક્ત કરેલ છે.






Latest News