ડૉક્યુમેન્ટ આપતા પહેલા સાવધાન: મોરબીમાં ઇંસ્ટંટ લોનના નામે બે વેપારી સાથે છેતરપિંડી કરનાર પકડાયો મોરબી જૈન સંઘના આંગણે ઐતિહાસિક આનંદોત્સવની ઉજવણી કરવામાં આવી મોરબીમાં ફ્રેન્ડ્સ ગૃપ દ્વારા ઓપન મોરબી ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ મોરબીમાં ગેરકાયદે ફેલ્સપાર ખનીજનો જથ્થો રાખીને વેચાણ કરતી બે પેઢીને 2.63 કરોડથી વધુનો દંડ મોરબીની મયુર હોસ્પિટલ ખાતે સિમ્પોલો ફાઉન્ડેશન દ્વારા કાર્યરત કરાયેલ ડાયાલિસિસ સેન્ટર રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ ખુલ્લુ મૂક્યું મોરબીના અંદરણા ગામ પાસે રેઢી પડેલી કારમાંથી દારૂની 960 બોટલ ઝડપાઈ: 3.76 લાખનો મુદ્દામાલ કબજે મોરબીમાં રહેતી હળવદની યુવતી ઉપર બે સંતાનોના પિતા દ્વારા દુષ્કર્મ, આરોપીની ધરપકડ માળીયા મીયાણાના નાના દહીસરા ગામે મંદિરમાંથી ચાંદીના 13 છતરની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં કચરા સાથે સરકારી અનાજનો જથ્થો બળી જવા મામલે તપાસનો ધમધમાટ: દોષિત સામે ફોજદારી ફરિયાદ નોંધવા કોંગ્રેસની માંગ


SHARE











મોરબીમાં કચરા સાથે સરકારી અનાજનો જથ્થો બળી જવા મામલે તપાસનો ધમધમાટ: દોષિત સામે ફોજદારી ફરિયાદ નોંધવા કોંગ્રેસની માંગ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલી યમુનાનગર પાસે બપોરના સમયે આગ લાગવાની ઘટના બની હતી અને કચરાના ઢગલામાં આગ લાગી છે તેવું સ્થાનિક લોકો કહી રહ્યા હતા જોકે જે જગ્યા ઉપર આગ લાગી હતી ત્યાંથી સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો છે જેથી કરીને હાલમાં અનેક તર્ક-વિતર્ક થવા લાગ્યા છે. અને સરકારી અનાજનો જથ્થો ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યો તે તપાસનો વિષય છે જેથી કરીને આ બાબતે તટસ્થ તપાસ કરીને બેદરકાર અધિકારીઓ સામે આકરા પગલાં લેવામાં આવે અને ફોજદારી ફરીયાદ કરવામાં આવે તેવી શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા માંગ કરવામાં આવેલ છે

મોરબીના નવલખી રોડ ઉપર યમુનાનગર પાસે અનુસૂચિત જાતિ સમાજનું સ્મશાન આવે છે તેની બાજુમાં બપોરના સમયે આગ લાગવાની ઘટના બની હતી અને ત્યાં પ્લાસ્ટિકનો કચરો સહિતના કચરાના ઢગલા પડ્યા હોવાથી આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા જેથી તાત્કાલિક આ બનાવની મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી અને આગને કાબુમાં કરવા માટે પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો જો કે જે જગ્યા ઉપર આગ લાગી હતી ત્યાં પ્લાસ્ટિક અને કચેરાનો ઢગલો છે તેવું સ્થાનિક લોકો પહેલા કહેતા હતા પરંતુ સ્થળ ઉપરથી સરકારી અનાજની ગુણીઓ મોટા પ્રમાણમાં મળી આવી હતી જેથી કરીને અનેક તર્ક વિતર્ક થવા લાગ્યા છે.

વધુમાં મળતી વિગત પ્રમાણે સ્થળ ઉપરથી જે અનાજનો જથ્થો મળી આવ્યો છે તેમાં ઘઉં, ચોખા અને દાળનો સમાવેશ થાય છે અને આ જથ્થાને સળગાવવા માટે થઈને આગ લગાવવામાં આવી હતી કે આગ લાગી એટલે સરકારી અનાજ જાહેરમાં ફેંકી દેવામાં આવ્યું છે તેની ઘટના સામે આવી છે આ બંને તપાસનો વિષય બને છે ત્યારે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમના દ્વારા આગ લાગવાની આ ઘટનામાં સરકારી અનાજનો જથ્થો બળી ગયો છે જેથી તટસ્થ તપાસ કરીને બેદરકાર અધિકારીઓ સામે ફોજદારી ફરીયાદ નોંધાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકારી અનાજનો જથ્થો જૂનો હોવાનું હાલમાં દેખાઈ રહ્યું છે પરંતુ આ અનાજ જરૂરિયાત મંદ લોકો સુધી શા માટે ન પહોંચ્યું તે પણ એક તપાસનો વિષય છે






Latest News