મોરબીની તપોવન વિદ્યાલય પરિવાર દ્વારા શહિદ વીર જવાનના પરિવારને કરાઇ આર્થિક મદદ મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરરજો આપવાની માંગ ભૂકંપથી ખંઢેર બની ગયેલ મોરબીની એલ.ઇ. કોલેજ અંદાજે 108 કરોડના ખર્ચ રજવાડાએ આપેલ મહેલ જેવી મૂળ સ્થિતિમાં લઈ આવવામાં આવે તેવા સંકેત મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોની તેમજ વંચિત વર્ગની દીકરીઓના ૧૦ માં સમૂહ લગ્નોત્સવનું આયોજન આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ કરવામાં આવ્યો તેરા તુજકો અર્પણ: મોરબીમાં DYSP પી.એ.ઝાલાના હસ્તે લોકોને 12.07 લાખનો મુદામાલ પરત અપાયો મોરબી કોર્પોરેશન ડે ની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કરાયું ટંકારા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સ્ટાફની ભરતી કરાશે; અરજી કરવાનું શરૂ
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા દ્વારા વક્તા જય વસાવડાના કાર્યક્રમનું કર્યું આયોજન


SHARE











મોરબી મહાપાલિકા દ્વારા વક્તા જય વસાવડાના કાર્યક્રમનું કર્યું આયોજન

વર્તમાન સમયમાં લોકોની વાંચન વૃતિ ઘટી રહી છે અને મોટાભાગના લોકો સોશયલ મીડિયામાં રચ્યા પચ્યા રહે છે ત્યારે મોરબીના લોકો વાંચન તરફ વળે તેના માટે મોરબીના કેસરબાગ ખાતે જય વસાવડાના સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે અને તેનો વિષય “વાંચવું એટલે જગત જીતવુંરાખવામા આવેલ છે.

વિશ્વ પુસ્તક દિવસ નિમિતે વાંચન અને લાઈબ્રેરીનું મહત્વ લોકો સમજે તેના માટે મોરબી મહાપાલિકા દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને વક્તા જય વસાવડાના સંવાદનું આયોજન કરાયું છે જેમાં “વાંચવું એટલે જગત જીતવુંતે વિષય ઉપર તેઓ વક્તવ્ય આપવાના છે અને આ કાર્યક્રમ મહાપાલિકા દ્વારા તા. 23 એપ્રિલના રોજ સાંજે 5થી 7 સુધી મોરબીના કેસરબાગ ખાતે રાખવામા આવેલ છે જેમાં યુવાનોને મોટીવેશન સાથે જરૂરી માર્ગદર્શન પણ મળશે જેથી વધુમાં વધુ યુવાનો સહિતના લોકોએ આ કાર્યક્રમનો લાભ લેવા માટે અધિકારીઓએ અનુરોધ કરેલ છે.






Latest News