મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

મોરબીમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનારની માનસિક સ્થિતિ સારી ન હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું


SHARE









મોરબીમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનારની માનસિક સ્થિતિ સારી ન હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું

મોરબી જુના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં એક વ્યક્તિએ કાર ઉપર પગ રાખીને ટ્રાફિકજામ કર્યો હતો અને જલરામ બાપાની જય બોલે છે ત્યાર બાદ તે વ્યક્તિએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા જેનો વિડીયો સોશિઅલ મીડિયામાં વાયરલ થયેલ હતો જેથી મોરબી એ ડીવીજન પોલીસ ત્યાં પહોંચી હતી અને તે શખ્સને પોલીસ સ્ટેશને લઈ આવીને પૂછપરછ કરવામાં આવી હતી તો તેનું નામ જીતેશભાઈ ઉર્ફે જીતુ હસમુખ મીરાણી (49) રહે. વસંત પ્લોટ મોરબી વાળો હોવાનું સામે આવ્યું હતું અને તેની માનસિક સ્થિતિ સારી ન હોવાનું તે વ્યક્તિના પરિવારજન પાસેથી જાણવા મળેલ છે. અને એક વર્ષ સુધી તેને યદુનંદન આશ્રમ લીલાપર રોડ ખાતે પણ રાખવામા આવ્યો હતો. અને હાલમાં પણ તેની સારવાર ચાલુ છે તે અંગેની પોલીસે ખરાઈ કરી હતી અને ત્યાર બાદ જીતુભાઇ મીરાણીને તમેના ભાઈ સાથે યદુનંદન આશ્રમ ખાતે સારવારમા મોકલવામાં આવેલ છે.






Latest News