હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનારની માનસિક સ્થિતિ સારી ન હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું


SHARE

















મોરબીમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનારની માનસિક સ્થિતિ સારી ન હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું

મોરબી જુના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં એક વ્યક્તિએ કાર ઉપર પગ રાખીને ટ્રાફિકજામ કર્યો હતો અને જલરામ બાપાની જય બોલે છે ત્યાર બાદ તે વ્યક્તિએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા જેનો વિડીયો સોશિઅલ મીડિયામાં વાયરલ થયેલ હતો જેથી મોરબી એ ડીવીજન પોલીસ ત્યાં પહોંચી હતી અને તે શખ્સને પોલીસ સ્ટેશને લઈ આવીને પૂછપરછ કરવામાં આવી હતી તો તેનું નામ જીતેશભાઈ ઉર્ફે જીતુ હસમુખ મીરાણી (49) રહે. વસંત પ્લોટ મોરબી વાળો હોવાનું સામે આવ્યું હતું અને તેની માનસિક સ્થિતિ સારી ન હોવાનું તે વ્યક્તિના પરિવારજન પાસેથી જાણવા મળેલ છે. અને એક વર્ષ સુધી તેને યદુનંદન આશ્રમ લીલાપર રોડ ખાતે પણ રાખવામા આવ્યો હતો. અને હાલમાં પણ તેની સારવાર ચાલુ છે તે અંગેની પોલીસે ખરાઈ કરી હતી અને ત્યાર બાદ જીતુભાઇ મીરાણીને તમેના ભાઈ સાથે યદુનંદન આશ્રમ ખાતે સારવારમા મોકલવામાં આવેલ છે.




Latest News