આયાતી ઉમેદવાર નહીં, સ્થાનિક આગેવાનને જ ભાજપની ટિકિટ આપવાની માંગ: હવે મોરબી મહાપાલિકાના વોર્ડ નં. 8 માંથી વિરોધનો સૂર ઉઠ્યો મોરબી: ઘરેથી કામ શોધવા જાઉં છું કહીને નીકળેલી યુવતી ગુમ મોરબીના ખોખરા હનુમાનજી મંદિરે ગુરુવારથી 7 દિવસીય નેચરોપેથી શિબિરનું આયોજન મોરબી જિલ્લામાં વસતા ગરીબ કુટુંબની ઝુંપડપટીઓને રેગ્યુલાઈઝ કરો : લાલજી મહેતા મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા મ્યુઝિકલ તંબોલાનો કાર્યક્રમ યોજાયો મોરબી પીજીવીસીએલની લેણી રકમ ન ભરતા ગ્રાહકને ત્રણ મહિનાની જેલની સજા વાંકાનેરના ભલગામ પાસે મૃત હાલતમાં મળી આવેલ યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ મોરબી જિલ્લામાં માવઠાની આગાહી; ખેડૂતોને ખેતપેદાશો સુરક્ષિત રાખવા ખેતીવાડી વિભાગનો અનુરોધ
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા યુવાનના પતિની સાથે છૂટાછેડા થતાં બાદ લાગી આવતા ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE











મોરબીમાં રહેતા યુવાનના પતિની સાથે છૂટાછેડા થતાં બાદ લાગી આવતા ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ સમૃદ્ધિ પેલેસમાં રહેતા યુવાનના તેની પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા હતા ત્યારથી તે ગુમસુમ રહેતો હતો અને તેને લાગી આવતા તે યુવાને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીના હળવદ રોડ ઉપર મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામેશ્વર પાર્ક સમૃદ્ધિ પેલેસ બ્લોક નંબર 701 માં રહેતા જયદીપભાઇ ચંદુલાલ સંઘાણી (28) એ પોતાના રહેણાંક મકાનની અંદર પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની દિનેશભાઈ માકાસણા (52) રહે. રવાપર રોડ ઉમા રેસીડેન્સી ગજાનંદ સોસાયટી વિજયનગર પાછળ મોરબી વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં આ બનાવની તપાસ કરી રહેલા એ.એમ.જાપડીયાએ જણાવ્યુ હતું કે, મૃતક યુવાનના તેની પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા હતા જે બાબતે તેને લાગી આવતા તેને આ પગલું ભર્યું છે.જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.  

મારા મારીમાં ઇજા

મોરબી નજીકના પાપડીયારી પાસે રહેતા પાવન માનસિંગ માલવી (22) નામના યુવાનને કેનાલ નજીક રાધે કૃષ્ણ કારખાના સામે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસે કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા અર્ચનાબેન રાજુભાઈ વર્મા (28) નામની મહિલા ભૂલથી દવા પી જતા તેને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News