મોરબીમાં રહેતા યુવાનના પતિની સાથે છૂટાછેડા થતાં બાદ લાગી આવતા ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
મોરબીના લાલપર નજીક કેનાલમાં ડૂબી ગયેલા યુવાનનો મૃતદેહ મચ્છુ-2 ડેમમાંથી નીકળ્યો
SHARE
મોરબીના લાલપર નજીક કેનાલમાં ડૂબી ગયેલા યુવાનનો મૃતદેહ મચ્છુ-2 ડેમમાંથી નીકળ્યો
મોરબીના લાલપર ગામ પાસે રહેતો યુવાન કેનાલમાં ન્હાવા માટે થઈને પડ્યો હતો ત્યારે તે કેનાલના પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ કેનાલના પાણી સાથે તેનો મૃતદેહ મોરબીના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમ સુધી પહોંચ્યો હતો જેથી તેના મૃતદેહને ત્યાંથી પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ પ્રિયાગોલ્ડ કારખાનાની બાજુમાં રહેતો ગૌતમ બાબુલાલ હાડા (24) નામનો યુવાન તા.૧૦-૨ નાં સાંજે ૬;૩૦ વાગ્યે લાલપર ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં ન્હાવા માટે થઈને ગયો હતો અને ત્યા તે પાણીમાં ડૂબી ગયો હતો ત્યારબાદ તેનો મૃતદેહ પાણીમાં તણાઈને મોરબીના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-2 ડેમ સુધી પહોંચી ગયો હતો જેથી ત્યાંથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુ બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતમાં ઇજા
ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતા ગલ્લારામભાઈ (50) નામના આધેડને અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.