માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આવતી નર્મદાની કેનાલને લગતા ખેડૂતોના પ્રશ્નો કાલે ધારાસભ્ય સાંભળશે


SHARE













મોરબી જિલ્લામાં આવતી નર્મદાની કેનાલને લગતા ખેડૂતોના પ્રશ્નો કાલે ધારાસભ્ય સાંભળશે

મોરબી જીલ્લામાં નર્મદાની ત્રણ કેનાલ આવે છે તેનો આધારે ઘણા ખેડૂતોને સિંચાઈ સુવિધાનો લાભ મળે છે જેથી નર્મદાની કેનાલને લગતા ખેડૂતોના પ્રશ્નો સાંભળવા ધારાસભ્ય દ્વારા કાલે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યુ છે કે, નર્મદાની કેનાલમાંથી પાણી લઈને ઘણા ખેડૂતો ખેતી કરી રહ્યા છે ત્યારે સિંચાઈ સુવિધા મેળવતા ખેડૂતો તા 2 મે ને શુક્રવારે 12.45 વાગ્યે મોરબીના સર્કિટ હાઉસ ખાતે તેઓને મળી શકશે અને નર્મદાની મોરબી, ધ્રાંગધ્રા અને માળીયા બ્રાન્ચ કેનાદ્વારા સિંચાઈ સુવિધા મેળવતા ખેડૂતો આગામી ખરીફ પાક સારી રીતે લઈ શકે તેના માટે ચર્ચા કરવામાં આવશે અને કેનાલને લગતા ખેડૂતોના જે પ્રશ્નો હોય સાંભળવામાં આવશે અને ટતેનો નિકાલ કરવા માટેની સૂચના આપવામાં આવશે.






Latest News