મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો
Breaking news
Morbi Today

મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી


SHARE







મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી

મોરબીના સુભાષ રોડ ઉપર રાત્રિના સમયગાળા દરમિયાન કોઈ ટીખળખોર દ્વારા કચરાના ઢગલામાં આગ લગાવી દેવામાં આવી હતી જે ગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું અને બાજુમાં આવેલ દુકાન સુધી આગ પ્રસરી ગઈ હતી જેથી દુકાનમાં આગ લાગે તે પહેલા તાત્કાલિક મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટિમ ત્યાં આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવામાં આવી હતી.

મોરબી શહેર તથા જિલ્લામાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે જોકે, રાત્રિ દરમિયાન મહાપાલિકા દ્વારા મૂકવામાં આવેલ કચરા પેટીઓ તથા જુદીજુદી જગ્યા ઉપર કરવામાં આવતા કચરાના ઢગલામાં ટીખળખોર દ્વારા આગ લગાવવામાં આવતી હોય તેવી ઘટનાઓ અગાઉ અનેક વખત સામે આવી ચૂકી છે તેવામાં ગતરાત્રિના સમયગાળા દરમિયાન મોરબીમાં આવેલ સુભાષ રોડ પાસે સીપીઆઈ કચેરીની પાછળના ભાગમાં જે કચરાનો ઢગલો થાય છે ત્યાં કોઈ ટીખળખોર દ્વારા આગ લગાવવામાં આવી હતી અને જોત જોતામાં આગ બાજુમાં આવેલ દુકાન સુધી પ્રસરી ગઈ હતી અને દુકાનનું બોર્ડ આગની જપેટમાં આવી ગયું હતું જેથી તાત્કાલિક સ્થળ ઉપર હાજર રહેલા લોકોમાંથી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટિમ ત્યાં દોડી આવી હતી અને આગ ઉપર પાણીનો મારો કરીને કાબુમાં લેવામાં આવી હતી આ બનાવમાં દુકાનનું બોર્ડ તથા દુકાન પાસે માલસામાન રાખવા માટે મૂકવામાં આવેલ ઘોડામાં નુકસાની થયેલ છે જોકે, રાત્રિના સમયગાળા દરમિયાન બનાવ બનેલ હોવાના કારણે દુકાન બંધ હોવાથી અને આસપાસમાં ટ્રાફિક ન હોવાના કારણે અન્ય કોઈ દુર્ઘટના સર્જાયેલ નથી.






Latest News