મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી


SHARE















મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી

મોરબીના સુભાષ રોડ ઉપર રાત્રિના સમયગાળા દરમિયાન કોઈ ટીખળખોર દ્વારા કચરાના ઢગલામાં આગ લગાવી દેવામાં આવી હતી જે ગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું અને બાજુમાં આવેલ દુકાન સુધી આગ પ્રસરી ગઈ હતી જેથી દુકાનમાં આગ લાગે તે પહેલા તાત્કાલિક મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટિમ ત્યાં આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવામાં આવી હતી.

મોરબી શહેર તથા જિલ્લામાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે જોકે, રાત્રિ દરમિયાન મહાપાલિકા દ્વારા મૂકવામાં આવેલ કચરા પેટીઓ તથા જુદીજુદી જગ્યા ઉપર કરવામાં આવતા કચરાના ઢગલામાં ટીખળખોર દ્વારા આગ લગાવવામાં આવતી હોય તેવી ઘટનાઓ અગાઉ અનેક વખત સામે આવી ચૂકી છે તેવામાં ગતરાત્રિના સમયગાળા દરમિયાન મોરબીમાં આવેલ સુભાષ રોડ પાસે સીપીઆઈ કચેરીની પાછળના ભાગમાં જે કચરાનો ઢગલો થાય છે ત્યાં કોઈ ટીખળખોર દ્વારા આગ લગાવવામાં આવી હતી અને જોત જોતામાં આગ બાજુમાં આવેલ દુકાન સુધી પ્રસરી ગઈ હતી અને દુકાનનું બોર્ડ આગની જપેટમાં આવી ગયું હતું જેથી તાત્કાલિક સ્થળ ઉપર હાજર રહેલા લોકોમાંથી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટિમ ત્યાં દોડી આવી હતી અને આગ ઉપર પાણીનો મારો કરીને કાબુમાં લેવામાં આવી હતી આ બનાવમાં દુકાનનું બોર્ડ તથા દુકાન પાસે માલસામાન રાખવા માટે મૂકવામાં આવેલ ઘોડામાં નુકસાની થયેલ છે જોકે, રાત્રિના સમયગાળા દરમિયાન બનાવ બનેલ હોવાના કારણે દુકાન બંધ હોવાથી અને આસપાસમાં ટ્રાફિક ન હોવાના કારણે અન્ય કોઈ દુર્ઘટના સર્જાયેલ નથી.






Latest News