મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીની પીપળીયા ચોકડીએથી શાકના કેરેટોની આડમાં ઢોરને કતલના ઇરાદે લઈ જવાતા ગૌરક્ષકોએ બચાવ્યા


SHARE







મોરબીની પીપળીયા ચોકડીએથી શાકના કેરેટોની આડમાં ઢોરને કતલના ઇરાદે લઈ જવાતા ગૌરક્ષકોએ બચાવ્યા

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષક દળને બાતમી મળી હતી તે મુજબ પીપળીયા ચોકડી નજીક વોચ ગોઠવવામાં આવી હતી અને બાતમી મુજબની બોલેરો નીકળતા તેને અટકાવીને ચેક કરવામાં આવતા તેમાંથી શાકભાજીના કેરેટોની નીચે દસ જેટલા પાડા ક્રુરતાપૂર્વક બાંધીને કતલના ઇરાદે લઈ જવામાં આવતા હોવાનું ધ્યાને આવતા ગૌરક્ષકો દ્વારા બે ઇસમોને પકડવામાં આવ્યા હતા અને બંનેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષા ગુજરાત રાજ્યને બાતમી મળેલ  કે કચ્છ બાજુથી મોટા પ્રમાણમાં બોલેરો પીકપ ગાડીમાં ઉપરના ભાગે શાકભાજીના કેરેટ ગોઠવીને નીચે પાડા ભરીને કતલ કરવા લઈ જવામા આવતા હોય તેવી હકીકત મળતા મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ગૌરક્ષકો પીપળીયા ચોકડીએ વોચમાં બેઠા હતા ત્યારે કચ્છ માળીયા બાજુથી બોલેરો નંબર જીજે ૧૨ સીટી ૬૯૩૪ પસાર થતા તેને રોકીને તેમાં ચેક કરવામાં આવતા ભેંસ વર્ગના પાડા જીવ નંગ-૧૦ ને ક્રુરતાપુર્વક ટૂંકા દોરડાથી હલીચલી ન શકે તેવી રીતે બાંધેલા હોય કોઈ પાસ પરમીટ ન હોય વાહન સાથે મળી આવેલ બે ઇસમોની પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે કચ્છના કનૈયાબે ગામમાંથી આ પાડા ભરેલા છે અને જામનગર કતલ કરવા માટે લઈ જવામાં આવતા હતા તેવી કબુલાત આપી હતી.હાલમાં આ બનાવ સંદર્ભે મોરબીના ગૌરક્ષક કમલેશભાઈ બોરીચા દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઈશાક મામદઅલી જત (૨૪) અને અલ્તાફ નિઝામભાઈ જત (૨૦) રહે.બંને નાના સરાડા તા.ભુજ જી.કચ્છ ની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેથી પશુ અતિક્રમણ ધારા હેઠળ ગુનો નોંધીને તાલુકા પોલીસ મથકના સી.કે.પઢિયાર દ્વારા આ બાબતે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. આ રેડને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ મોરબી શહેર અધ્યક્ષ કમલેશભાઇ બોરીચા, બજરંગ દળ મોરબી નગર અધ્યક્ષ ચેતનભાઇ પાટડીયા, પાર્થભાઈ નેસડિયા, રામજીભાઈ રબારી, મનીષભાઈ કંજારીયા, સાગરભાઇ, રાહુલભાઈ, સાવનભાઈ તેમજ લીમડી, ચોટીલા, ધાંગધ્રા, વિરમગામ, કચ્છ અને રાજકોટ ગૌરક્ષકોની ટીમનો સહયોગ રહ્યો હતો.






Latest News