ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરના નવા ઢુવા ગામમાંથી 70 બોટલ દારૂ-10 બિયરના ટીન ભરેલ કાર સાથે એક પકડાયો: 4.92 લાખનો મુદામાલ કબ્જે


SHARE













વાંકાનેરના નવા ઢુવા ગામમાંથી 70 બોટલ દારૂ-10 બિયરના ટીન ભરેલ કાર સાથે એક પકડાયો: 4.92 લાખનો મુદામાલ કબ્જે

વાંકાનેરના નવા ઢુવા ગામમાં રામાપીરના મંદીર પાસેથી કાર પસાર થઈ રહી હતી ત્યારે કારને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે કારમાંથી દારૂની 70 બોટલ અને 10 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે દારૂ બીયર અને કાર મળીને 4.92 લાખથી વધુનો મુદામાલ કબ્જે કરીને કાર ચાલકની ધરપકડ કરેલ છે અને દારૂ બિયરનો માલ આપનારનું પણ નામ સામે આવ્યું હોય હાલમાં બે શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેર તાલુકા પીઆઇ ડી.વી.ખરાડીની સૂચન મુજબ સ્ટાફ કામ કરે છે તેવામાં સામતભાઈ છુછીયા તથા અજયસિંહ ઝાલાને મળેલ સંયુકત બાતમી મળી હતી જેના આધારે વોચ રાખવામા આવી હતી દરમ્યાન વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામમાં રામપીરના મંદીર પાસે રોડ પરથી બેજા કાર રજી નંબર જીજે 3 એબી 8595 માં નવા ઢુવા ગામે રહેતો અશોકભાઈ હિરાભાઈ ડાભી નામનો શખ્સ દારૂની હેરફેરી કરે છે તેવું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે 70 બોટલ દારૂ, બિયરના 10 ટીન જેની કુલ કિંમત 92,800 તેમજ 4 લાખની કિંમતની કાર મળીને કુલ 4,92,800 નો મુદામાલ કબ્જે કર્યો હતો અને આ દારૂ બિયરનો નો જથ્થો ભરી આપનાર ગભરૂભાઈ માત્રાભાઈ ધાધલ રહે. ધોળીયા તાલુકો થાન વાળાનું નામ સામે આવ્યું છે જેથી કરીને બંને શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને માલ આપનારા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે. આ કામગીરી પીઆઇ ડી.વી.ખરાડીની સૂચના મુજબ રામભાઈ મંઢ, ક્રીપાલસિંહ ચાવડા, ચમનભાઈ ચાવડા, કિર્તીસિંહ જાડેજા, રાજેશભાઈ પલાણી, બ્રીજેશભાઈ બોરીયા, સામતભાઈ છુછીયા, અજયસિંહ ઝાલા, અશ્વિનભાઈ રંગાણી અને શક્તિસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.








Latest News