મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખીને છરી, લાકડી, પાઇપ વડે હુમલો કરીને યુવાનની સાત શખ્સોએ કરી હત્યા


SHARE











મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખીને છરી, લાકડી, પાઇપ વડે હુમલો કરીને યુવાનની સાત શખ્સોએ કરી હત્યા

મોરબીની લીલાપર ચોકડી પાસે જૂની અદાવતનો ખાર રાખીને સાત શખ્સો દ્વારા યુવાન ઉપર લાકડી, પાઇપ અને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે ત્યારે યુવાનને છરીના ઘા ઝીકિને તેની હત્યા કરવામાં આવી હતી જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસ ઘટના પહોંચી હતી અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનની માતાની ફરિયાદ લઈને પોલીસે સાત શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વજેપર શેરી નં.13 માં રહેતા ભાવનાબેન નારણભાઈ કંઝારીયા (45)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં દિલીપ મહેશભાઈ કંઝારીયા, અરવિંદભાઈ ઉફે મુન્નો ડાયાભાઈ પરમાર, કિશન પ્રભુભાઈ પરમાર, પ્રભુભાઈ ડાયાભાઈ પરમાર, મહેશ ઉફે પાંચો ડાયાભાઈ પરમાર, જગાભાઈ ડાયાભાઈ પરમાર અને અમિત મહેશ ઉફે પાચો પરમાર રહે. તમામ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેના દીકરા ગિરીશ નારણભાઈ કંઝારિયા (27)ને મોરબીની લીલાપર ચોકડી પાસે જૂની અદાવતનો ખાર રાખીને આરોપીઓએ હુમલો કર્યો હતો અને લાકડી, પાઇપ અને પથ્થરના ઘા મારીને તેમજ છરીના ઘા ઝીકીને હત્યા કરી નાખેલ છે.

વધુમાં ફરિયાદી જણાવ્યુ છે કે, અગાઉ આરોપી મહેશ ઉફે પાંચો ડાયાભાઈની ભત્રીજીને તેના પાડોશમાં રહેતા પ્રકાશ વિનુ સાથે પ્રેમ સંબંધ હતો અને ફરિયાદીનો દીકરો તેને મદદ કરતો હોવાનો વહેમ રાખીને ફરિયાદીના દીકરા સામે વર્ષ 2017 માં પોલીસ ફરીયાદ કરેલ હતી અને બે દિવસ પહેલા આરોપી દિલીપ મહેશભાઈ સાથે ફરીયાદીના દિકરાને ગાળો બોલવા બાબતે મારા મારી થયેલ હતી જેનો રાગદ્રેષ રાખીને આરોપીઓએ એકસંપ કરીને ફરીયાદીના દિકરા ગિરીશ અને સાહેદને ગાળો બોલી હતી અને આરોપી દિલીપભાઈ મહેશભાઈએ છરીના ઘા માર્યો હતો તેમજ કિશન પ્રભુભાઈ, પ્રભુભાઈ ડાયાભાઈ તથા મહેશભાઈ ડાયાભાઈએ લાકડા ધોકા વડે માર માર્યો હતો અને અમિતે લોખંડના પાઈપ વડે ફરિયાદીના દીકરાને માર માર્યો હતો તેમજ જગાભાઈએ ગિરીશને પકડી રાખેલ ત્યારે અરવિંદ ઉફે મુન્ના ડાયાભાઈએ પથ્થર વડે તેને માર માર્યો હતો જેથી મૃતક યુવાનની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News