મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં શંકાસ્પદ હાલતમાં મૃત્યુ પામેલ હળવદના મેરૂપર ગામના યુવાનનો મૃતદેહ વતનમાં લાવીને અંતિમક્રિયા કરાઇ, ગામ હિબકે ચડયુ


SHARE











ઓસ્ટ્રેલિયાના સિડનીમાં શંકાસ્પદ હાલતમાં મૃત્યુ પામેલ હળવદના મેરૂપર ગામના યુવાનનો મૃતદેહ વતનમાં લાવીને અંતિમક્રિયા કરાઇ, આખુ ગામ હિબકે ચડયુ

મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં મેરૂપર ગામનો યુવાન ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે રહેતો હતો અને નોકરી હતો જે યુવાન ગત તા 1 ના રોજ ગુમ થયો હતો અને ત્યાર બાદ તેનો તા 6 ના રોજ મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને વતનમાં લાવવા માટે સાંસદ અને સરકાર દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો જેથી આજે મોડી સાંજે તે યુવાનના મૃતદેહને મદરે વતન લઇ આવીને અંતિરક્રિયા કરવામાં આવી હતી ત્યારે આખુ ગામ હિબકે ચડ્યુ હતુ.

હળવદના મેરૂપર ગામનો જયદીપસિંહ અજીતસિંહ ડોડીયા (29) નામનો યુવાન છેલ્લા સાતેક વર્ષથી સ્ટુડન્ટ વિઝા ઉપર ઓસ્ટ્રેલિયાના સિડનીમાં હતો અને ત્યારબાદ ત્યાં જ તે નોકરી કરતો હતો અને આ યુવાનના એક વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને લગ્નના ત્રણ મહિના બાદ તે યુવાન પોતાના પત્નીને સાથે સિડની લઈ ગયો હતો અને બંને સિડનીમાં રહેતા હતા. જો કે, જયદીપસિંહ ડોડીયા ગત તા. 1 જુનના રોજ રાત્રીના નોકરીએ ગયો હતો અને બાદમાં તે પાછો આવેલ ન હતો જેથી તેના પત્નીએ 2 જૂનના રોજ જયદીપસિંહ ડોડીયા ગુમ થયાની ફરિયાદ ત્યાંની પોલીસમાં આપી હતી અને બાદમાં તા. 6 જૂનના રોજ જયદીપસિંહ ડોડીયા જે વિસ્તારમાં રહેતો હતો ત્યાં ઘરની બાજુમાંથી નીકળી નદીના કાંઠેથી જ તેનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવેલ હતો જેથી તેના પત્નીને બોલાવીને તેના મૃતદેહની ઓળખ કરાવવામાં આવી હતી. જો કે, મૃતક યુવાનના મૃતદેહને વતનમાં લાવવા માટે સુરોન્દ્રનગરના સાંસદ ચંદુભાઇ સિહોરા અને ભારત સહકારનો સહકાર મળ્યો હતો જેથી આજે તા.18 જુને મૃતક જયદીપસિંહ ડોડીયાના મૃતદેહને હળવદના મેરૂપર ગામે લઈ આવ્યૈ હતા અને ત્યારે મૃતક યુવાનના પરિવારજનો સહિત સમગ્ર ગામ હિબકો ચડ્યુ હતુ. અને હિન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ મેરૂપર ગામે મૃતક યુવાન જયદીપસિંહ ડોડીયાની અંતિમ વિધી કરવામાં આવી હતી.






Latest News