ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરના પંચાસિયા નજીક પેપરમીલમાં કન્વેયર બેલ્ટ ઉપર સૂતેલો યુવાન મશીનમાં આવી જતાં ઘટના સ્થળે જ મોત


SHARE













વાંકાનેરના પંચાસિયા નજીક પેપરમીલમાં કન્વેયર બેલ્ટ ઉપર સૂતેલો યુવાન મશીનમાં આવી જતાં ઘટના સ્થળે જ મોત

વાંકાનેરના પંચાસિયા ગામની સીમમાં આવેલ પેપરમીલમાં કન્વેયર બેલ્ટ ઉપર યુવાન સૂતો હતો દરમિયાન મશીનમાં આવી જવાના કારણે તેને ગંભીર ઇજા થવાથી તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ યુપીનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામની સીમમાં આવેલ બ્રાઉનીયા પેપરમીલના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો ધનંજય બંગાલીભાઈ નિશાદ (20) નામનો યુવાન કારખાનામાં પેપરમીલના કન્વેયર બેલ્ટ ઉપર સૂતો હતો દરમિયાન પલ્પર મશીનમાં આવી જવાના કારણે તેને ગંભીર ઇજા થયેલ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની છોટાસિંહ રામસિંગ નિશાદ (51) રહે. હાલ લધીરપુર રોડ સીમોન પેપરમીલના લેબર ક્વાર્ટરમાં મોરબી મૂળ રહે. યુપી વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

વાંકાનેરના વાકિયા ગામે રહેતો રશ મહેબુબભાઇ માકીયા (21) નામનો યુવાન તેના મિત્ર સાથે બાઈકમાં ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થહોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

વૃદ્ધા સારવારમાં

જોડીયા તાલુકાના રસનાળ ગામના રહેવાસી નાગલબેન હરજીભાઈ ડાભી (75) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે પીઠડ નજીક મંદિર પાસે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં વૃદ્ધાને ઈજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લાગ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.








Latest News