મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં જોખમી પુલ, ખરાબ રોડ, ખનીજ ચોરી સહિતના પ્રશ્ને કોંગ્રેસના માજી ધારાસભ્યની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવ્યુ


SHARE











વાંકાનેર તાલુકામાં જોખમી પુલ, ખરાબ રોડ, ખનીજ ચોરી સહિતના પ્રશ્ને કોંગ્રેસના માજી ધારાસભ્યની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવ્યુ

વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ગઇકાલે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં અવાયું હતું અને શહેર તથા તાલુકામાં બિસ્માર રોડ રસ્તા, તૂટી ગયેલ પુલ, જોખમી પુલ, અપૂરતા ખાતર અને ફરજિયાત નેનો યુરિયા, રઝડતા ઢોર, ખનીજ ચોરી સહિતના પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી હતી.

વાંકાનેર નજીક રતિદેવરી તરફ જવાના રસ્તા ઉપર એક વર્ષ પહેલા પુલ તૂટી ગયેલ છે તેનું હજુ સુધી રિપેરિંગ થયેલ નથી, તાલુકામાં ગ્રામ્ય વિસ્તારના રસ્તા બિસ્માર છે, સિંધાવદરનો પુલ જોખમી છે તેમજ પીજીવીસીએલ, ખાતર, ફરજિયાત નેનો યુરિયા, રઝડતા ઢોર, જંગલી પશુથી પાકને નુકશાન, ખનીજ ચોરી, ઓવરલોડ ડમ્પર સહિતની સમસ્યાઓ દૂર કરવા માટે અને જડેશ્વરથી અમરસર જતાં રોડના નબળા કામ બાબતે કોંગ્રેસનાં માજી ધારાસભ્ય મહમદજાવિદ પીરજાદાની આગેવાનીમાં કોંગ્રેસનાં આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ચર્ચા કરવામાં આવી હતી તેમજ શહેરમાં બિસ્માર રોડ, પાલિકા દ્વારા ફિલ્ટર વગરના દૂષિત પાણીનું વિતરણ, ઉભરાતી ગટર, તૂટી ગયેલ ગટરના ઢાંકણા તથા આશિયાના સોસાયટી અને ગુલાબનગરમાં પીવાનું પાણી આપવા માટેની રજૂઆત કરી હતી. ત્યારે માજી ધારાસભ્ય ઉપરાંત હરદેવસિંહ જાડેજા, કરશનભાઈ લુંભાણી, ગુલામભાઈ પરાસરા, નાથાભાઈ ગોરિયા, શકીલ પીરઝાદા, ઈસ્માઈલભાઈ બાદી, હુસેનભાઈ મંત્રી, અબ્દુલભાઈ બાદી, વનરાજભાઈ રાઠોડ, અરવિંદભાઈ અંબાલિયા, ગીતાબેન પરમાર, આબિદ ગઢવાળા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. અને જો તંત્ર દ્વારા સમસ્યાઓને દૂર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.






Latest News