મોરબીમાંથી યુવતી ગુમ, પોલીસને જાણ કરાતા તપાસ શરૂ મોરબીમાં ખેડૂતો માટે અવાજ ઉઠાવતા મને જૂના કેસમાં પોલીસની નોટિસ મળી: પંકજ રાણસરીયા મોરબીમાં ૧૫૦ પેટી દારૂના ગુનામાં પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો હળવદના કોયબા ગામ પાસે રબ્બરની ફેક્ટરીમાં લાગેલી આગ કાબુમાં: કુલિંગ માટે હજુ પણ પાણીનો મારો ચાલુ હળવદના ખેતરડી ગામે દારૂની રેડ: 2700 લીટર આથો-50 લિટર દેશી દારૂ કબ્જે, આરોપીની શોધખોળ મોરબીમાં કાર ચાલકે બુલેટને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં ટંકારાના મિતાણા પાસે અન્ય વાહન વાળા સાથે ઝઘડો કરનારને ઠપકો આપનારા યુવાનને ફોર્ચ્યુનારના ચાલકે મોઢામાં ઢીકા મારીને કારમાં નુકશાન કર્યું મોરબીના રવાપરમાં આવેલ આધ્યા હાઈટ્સના ફલેટમાં જુગાર રમતા 8 પતાપ્રેમી 7.20 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના સ્વયંભૂશ્રી જડેશ્વર મહાદેવ મંદીરે લોક ભવાઈ કાર્યકમનો આયોજન


SHARE











વાંકાનેરના સ્વયંભૂશ્રી જડેશ્વર મહાદેવ મંદીરે લોક ભવાઈ કાર્યકમનો આયોજન

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ સ્વયંભૂશ્રી જડેશ્વર મહાદેવ મંદીર ખાતે ભવ્ય લોક ભવાઈ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં "દાદા નો મજરો" પણ કાલકારો દ્વારા કરવામાં આવશે.

આગામી તા. 18/08/2025 સોમવાર શ્રાવણ વદ- 10 ના રોજ રાતે 9:30 કલાકે સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ મંદિર ગૌશાળાના લાભાર્થે "દાદા નો મજરો" (લોક ભવાઈ કાર્યક્રમ) રાખેલ છે. જેમાં ખાખરાળા ગામના નાયક સ્વ. હરીલાલભાઈ કાનજીભાઈ વ્યાસનું સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ સંચાલક વિક્રમભાઈ વ્યાસ તથા સાથી કલાકારો પોતાની કલા રજૂ કરશે. તો આ "દાદા નો મજરો" જોવા માટે સર્વે ધર્મપ્રેમી જનતાને સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરના મહંત રતીલાલજી મહારાજ ગુરૂ રવિપ્રકશજીમહારાજ તેમજ લઘુ મહંત જીતેન્દ્રપ્રકાશ ગુરૂ રતિલાલજી મહારાજ અને જડેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા લોકોને ગૌસેવાના કામમાં સહયોગ આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News